પ્રોટીન અને કેલ્શિયમની જેમ આયર્ન પણ શરીર માટે જરુરી પોષક તત્વ છે. આયર્નની ઉણપથી શરીરમાં એનિમિયા થઈ શકે છે જેના કારણે તમે એનિમિયાથી પીડાઈ શકો છો. શરીરમાં આયર્નની ઉણપને કારણે તમને ઊર્જાની ઉણપ એટલે કે શરીરની નબળાઈ અને થાક, શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો, ચીડિયાપણું, ચક્કર આવવા જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
એવું માનવામાં આવે છે કે નોન-વેજ ખોરાકમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ એ વાત સાચી છે કે ઘણા વેજ ફૂડ પણ આયર્નનો સારો સ્ત્રોત ધરાવે છે. જાણીએ ન્યૂટ્રિશિનિસ્ટ કેટલાક વેજ ફૂડ જણાવી રહ્યા છે જે પોષક તત્વોથી ભરપૂર છે.
કયા વેજિટેરિયન અનાજમાં આયર્નની સારી માત્રા હોય છે
– આમળાં (25 ગ્રામ) = 2.8 ગ્રામ
– રાગી (20 ગ્રામ) = 1.2 મિલિગ્રામ
– કિસમિસ (10 ગ્રામ) = 0.7 મિલિગ્રામ
– મસૂર (30 ગ્રામ) = 6.6 મિલિગ્રામ
– સોયાબીન (30 ગ્રામ) = 2.4 મિલિગ્રામ
– કરી પત્તા (10 ગ્રામ) = 0.87 મિલિગ્રામ
આટલું ધ્યાન રાખો
– વિટામિન સીથી ભરપૂર નોન-હેમ આયર્ન ખોરાક લેવાથી આયર્નનું શોષણ 300 ટકા સુધી વધી શકે છે.
– ભોજન સાથે કોફી અને ચા ટાળો
– પલાળેલા, ફણગાવેલા અને આથેલા અનાજ અને કોઠળ ખાવાથી આયર્નનું શોષણ વધે છે.
– વિવિધ દાળ અને ક્વિનોઆ જેવા ખોરાક એમિનો એસિડ લાયસિનથી ભરેલા હોય છે, જે આયર્નનું શોષણ વધારી શકે છે.
Advertisement