જો તમને ચીઝ અને એ પછી માયોનીઝ ખાવાનો શોખ હોય તો તમારે તેની ગુણવત્તા પર પણ આધાર રાખવો જોઈએ. કેટલાંક જાણકારો માયોનીઝને તો માત્ર કેમિકલ કન્ટેન્ટ કહેવામાં આવે છે. છતાં કોર્પોરેશન દ્વારા જે રેડ પાડવામાં આવી છે એ તો નખના કચરા બરાબર પણ નથી એટલા પ્રમાણમાં અખાદ્ય માયોનીઝ, ચાઈનીઝ ફૂડ અને ચીઝ વેચાઈ રહ્યું છે.
Advertisement
Advertisement
જો ઘરે આ બધી જ વસ્તુઓ ચોખ્ખા ઘટકો વાપરીને બનાવવામાં આવે તો કોઈને ના પોસાય એવા ભાવમાં બને. છતાં જે ભાવમાં છૂટથી આ ઝેર વેચાઈ રહ્યું છે તેની સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને પાશેરામાં પૂણી જેટલા થોડા હોટેલ ધારકોને નોટિસ પાઠવી છે.
સુરતના પોશ ગણાતા એવા ઘોડદોડ રોડ અનેપીપલોદ જેવા જે વિસ્તારોના પિત્ઝા સેન્ટરો માંચીઝ અને માયોનીઝની ગુણવત્તા ધારાવિભાગની તપાસમાં બહાર આવ્યુ છે કે જેમાં 40 કિલો અખાદ્ય ચીઝ અને માયોનીઝ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
નોંધનોંય છેકે ફુડ સેફટી ઓફિસરો દ્વારા સ્થળ તપાસ કરી મે મહિનામાં વિવિધ વાનગીઓની બનાવટમાં વપરાતા ચીઝ અને માયોનીઝ પૈકી 06 નમુનાઓ ધારાધોરણ મુજબના માલુમ પડયા નથી. જેથી આ 6 સંસ્થા સામે એડજયુડીકેટીંગ ઑફીસર સંસ્થાઓમાંથી આશરે 40 કિલો ચીઝ અને માયોનીઝનો નાશ કરવામાં આવ્યો.
સુરતીઓએ બહારનું ખાવાનો ચટકો ઓછો કરીને આવા બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી વેંચનારાથી ચેતવા જેવું છે. અગાઉ ભેળસેળનો કિસ્સો સામે આવ્યો હતો. જે પછી બરફગોળાના રંગમાં ભેળસેળનો કિસ્સો સામે આવ્યો હતો.
આ 6 સંસ્થાના નમૂના ફેઈલ ગયા છે.
સફાયર ફૂડ્સ ઈન્ડિયા લિમિટેડ (પિઝા હટ) ઘોડદોડ રોડ દેવ હોસ્પિટાલિટી (લા-પીનોઝ પિઝા) પાલનપોર પ્રેરણા હોસ્પિટાલિટી (કેએસ ચારકોલ) પીપલોદ ડેન્સ પિઝા, અડાજણ ગુજ્જુ કાફે, જહાંગીરાબાદ જુબિલિયન્ટ ફૂડ વર્ક્સલિ.(ડોમિનોસ પિઝા) ભરથાણા (વેસુ)નો સમાવેશ થાય છે.
Advertisement