સ્પૉર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા વિરૂદ્ધ બીજી ટી-20 મેચમાં 16 રને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં ભારતીય બોલરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યુ હતુ. ખાસ કરીને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની. અર્શદીપે પ્રથમ ઓવરમાં ત્રણ અને આખા સ્પેલમાં કુલ પાંચ નો-બોલ ફેક્યા હતા. મેચ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા આ વાતથી નારાજ જોવા મળ્યા હતા, તેમણે કહ્યુ કે કોઇ પણ ફૉર્મેટમાં નો-બોલ ફેકવો ગુનો છે.
Advertisement
Advertisement
હાર્દિક પંડ્યાએ કહ્યુ, અર્શદીપ સિંહ માટે આ ઘણુ મુશ્કેલ છે. આ તેને દોષ અથવા તેની પર કડક થવાની વાત નથી પરંતુ આપણે જાણીયે છીએ કે કોઇ પણ ફૉર્મેટમાં નો-બોલ ફેકવો ગુનો છે. ભારતીય કેપ્ટને કહ્યુ, તેમણે આ વાત પર ધ્યાન આપવુ અને શીખવુ જોઇએ કે તે શું નિયંત્રિત કરી શકે છે. એમ કોઇનો પણ દિવસ ખરાબ હોઇ શકે છે પરંતુ તેમણે પાયાની વસ્તુથી દૂર ના થવુ જોઇએ.
પાવર પ્લેમાં ખરાબ રહી બેટિંગ અને બોલિંગ- હાર્દિક પંડ્યા
ભારતીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ કહ્યુ, ભારતનું પાવર પ્લે ઓવરમાં બેટિંગ અને બોલિંગ બન્નેમાં ખરાબ પ્રદર્શન રહ્યુ હતુ. અમે કેટલીક ભૂલો કરી હતી જેને અમારે આ સ્તર પર ના કરવી જોઇએ.
હાર્દિક પંડ્યાએ કહ્યુ કે આપણા માટે શીખવાની વાત આ છે કે આપણે તેની પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઇે, જેને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. તમારો દિવસ સારો પણ હોઇ શકે છે તમારો દિવસ ખરાબ પણ બની શકે છે પરંતુ તમારે બેસિક્સથી દૂર ના થવુ જોઇએ.
અર્શદીપના નામે અનોખો રેકોર્ડ નોંધાયો
અર્શદીપે એક ભારતીય બોલર દ્વારા એક ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ નો બોલ (5) ફેકવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા આ ફાસ્ટ બોલરે ગત વર્ષે હોંગકોંગ વિરૂદ્ધ મેચમાં બે નો બોલ ફેક્યા હતા, તેને 2 ઓવરમાં 18.50ની ઇકોનોમીથી 37 રન આપ્યા હતા.
બીજી ટી-20માં ભારતનો પરાજય
પૂણેમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. કેપ્ટન દાસુન શનાકા (56) અને વિકેટ કીપર કુસલ મેન્ડિસ (52) ટોપ સ્કોરર રહ્યા હતા. ભારતીય બોલરોમાં ઉમરાન મલિકે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. 207 રનના પડકારનો પીછો કરતા ભારત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 190 રન જ બનાવી શકી હતી.
અક્ષર પટેલ (65) અને સૂર્યકુમાર યાદવ (51)ની શાનદાર ઇનિંગ છતા ભારત મેચ હારી ગયુ હતુ. બન્નેએ છઠ્ઠી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી.
Advertisement