મુંબઇ: કોવિડ-19ને કારણે ફિલ્મ ઉદ્યોગનો ખરાબ સમય ચાલ્યો હતો. ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ લોકોએ નુકસાન ભોગવવુ પડ્યુ હતુ. કોરોના પછી સ્થિતિ સુધરી છતા પણ ફિલ્મનું બૉક્સ ઓફિસ કલેક્શન જોઇએ તેવુ રહ્યુ નથી. જેને કારણે ફિલ્મ પ્રોડ્યૂસરથી લઇને થિયેટર માલિકોએ એવી રીત શોધી જે બાદ દર્શક થિયેટર સુધી પહોચવા લાગ્યા છે.
Advertisement
Advertisement
બે દાયકા પહેલા સુધી કોઇ ફિલ્મને મનોરંજન કરથી મુક્ત થવાનો ફાયદો સોદો હતો કારણ કે તે સમયે રાજ્યમાં 160 ટકા સુધી કર લાગતો હતો પરંતુ ત્રણ વર્ષમાં કાયદામાં બદલાવ પછી 50 રૂપિયાથી ઓછી ટિકિટ ધરાવનારા તમામ થિયેટર કરમુક્ત છે. એવામાં અહી કર માત્ર ટકા છે. નાના શહેરોમાં સિંગલ પરદા ધરાવતા થિયેટરમાં 50 રૂપિયા અથવા તેનાથી ઓછી ટિકિટનો ભાગ છે. કેટલાક પરદા ધરાવતા થિયેટરમાં પણ સોમવારથી ગુરૂવાર સુધીના ટિકિટના દર ઓછા છે.
એવામાં આજના સમયમાં જો ફિલ્મ ટેક્સ ફ્રી બની જાય તો તેનાથી થિયેટર માલિક અથવા ફિલ્મ બનાવનારાઓને કોઇ ખાસ ફરક પડતો નથી. આજના સમયમાં દર્શકોને થિયેટર સુધી લાવવા માટે કેટલીક વખત વિતરક પોતાનો ભાગ ઓછો કરીને ટિકિટના ભાવ ઓછા કરી દે છે, જેનો ફાયદો આ થાય છે કે ફેન્સ ઓછા પૈસા આપવાના ચક્કરમાં ફિલ્મ જોવા માટે આવે છે. જેમ કે બ્રહ્માસ્ત્ર, કાશ્મીર ફાઇલ્સ, દ્રશ્યમ 2ના ટિકિટના ભાવ ઓછા કરવાથી જોરદાર ફાયદો થયો હતો.
23 સપ્ટેમ્બર 2022માં રાષ્ટ્રીય સિનેમા દિવસ મનાવવા માટે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ 4000થી વધુ સ્ક્રીનની ટિકિટ 75 કરી દીધી હતી જેનો ફાયદો આ ફિલ્મને મળ્યો હતો. દ્રશ્યમ 2ની કહાનીમાં બે ઓક્ટોબરનો દિવસ ખાસ છે જેનો ફાયદો ઉઠાવતા નિર્માતાઓએ 2 અને 3 ઓક્ટોબરે બુંકિંગ કરનારાઓને 50 ટકા છૂટ આપી હતી, જેનો ફાયદો ફિલ્મને મળ્યો હતો. આ રીતે ભૂલ ભૂલૈયા 2એ પણ પોતાની ટિકિટના ભાવ ઓછા રાખ્યા હતા જેથી કેજીએફ 2ની ટિકિટથી અડધા ભાવ ભૂલભૂલૈયા 2ના હતા જેનો ફાયદો આ ફિલ્મને મળ્યો હતો.
તાજેતરમાં પઠાણ ફિલ્મે 1 હજાર કરોડથી વધુની વર્લ્ડ વાઇડ કમાણી કરી છે. સૂત્રો અનુસાર બાહુબલી 2નો રેકોર્ડ તોડવાની ઇચ્છા હેઠળ પઠાણના પ્રોડ્યૂસરોએ કમાણી વધારવા માટે એક રણનીતિ અપનાવી હતી. પઠાણના પ્રોડ્યૂસરે 7 ફેબ્રુઆરીએ પઠાણ દિવસ મહોત્સવનું નામ આપીને આ દિવસ માટે ટિકિટના ભાવ માત્ર 110 રૂપિયા કર્યા હતા. જેને જોતા જે ફેન્સે ફિલ્મ જોઇ નહતી અને જે બીજી વખત જોવા માંગતા હતા તેમણે આ તકનો લાભ ઉઠાવ્યો હતો. જોકે, આ રણનીતિને કારણે આ દિવસે રીલિઝ થયેલી કાર્તિક આર્યનની ફિલ્મ શહજાદાને નુકસાન થયુ હતુ.
જોકે, શહજાદાના પ્રોડ્યૂસરે પઠાણની સસ્તી ટિકિટના મુકાબલે એક દિવસ માટે એક ટિકિટ ફ્રીની જાહેરાત કરી હતી પરંતુ તેમ છતા પઠાણ સામે આ ફિલ્મને ફાયદો મળ્યો નહતો.
Advertisement