કરીના કપૂર ખાન બોલિવૂડની જાણીતી અભિનેત્રીમાંની એક છે. અભિનેત્રીના લાખો ચાહકો તેની પર્સનલ લાઈફ વિશે જાણવા માગે છે. તે ઘણી વખત ખરાબ વર્તનના કારણે હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં એકવાર ફરી કરીના તેના આવા જ વર્તનના કારણે સમાચારમાં આવી છે.
અભિનેત્રી વિશે મરાઠી ફિલ્મોના પ્રખ્યાત નિર્દેશક મહેશ તિલકરે કહ્યું કે તે ચાહકો અને તેના સાથી કલાકારોની અવગણના કરે છે. વાસ્તવમાં પ્રખ્યાત મરાઠી નિર્દેશક મહેશ તિલકરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરતી વખતે તેણે ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે આઠ વર્ષ પહેલા તે તેની ટીમ સાથે પ્રવાસ કરી રહ્યો હતો. તે દરમિયાન તેણે કરીનાને એરપોર્ટ પર જોઈ હતી.
તેઓએ કહ્યું કે તે સમયે એક મરાઠી અભિનેત્રી કરીનાને અભિનંદન આપવા માંગતી હતી, જેના માટે તે તેની પાસે પહોંચી. જોકે કરીનાએ મરાઠી અભિનેત્રીને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી હતી. કરીનાનું આ વર્તન જોઈને ખૂબ નિરાશ થયો.
મહેશે એ પણ ધ્યાન દોર્યું કે અભિનેત્રીએ ભૂતકાળમાં કરીના સાથે કામ કર્યું હતું. તે પછી પણ તેને સંપૂર્ણપણે અવગણવામાં આવી હતી. આ પોસ્ટ દરમિયાન મહેશે કરીના અને અભિનેત્રી રાધિકા આપ્ટે વિશે વાત કરી અને કહ્યું કે રાધિકાને પણ ઓટોગ્રાફ આપવાનું પસંદ નથી. તેણે કહ્યું કે સ્ટાર્સ પોતાની ફિલ્મોના પ્રમોશન માટે જ ચાહકો સાથે જોડાય છે.
Advertisement