ઘણાં દિલો પર રાજ કરતી બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા બચ્ચન ઘણાં સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. તાજેતરમાં ઐશ્વર્યના પોન્નિઇન સેલ્વન ફિલ્મનો બીજો પાર્ટ રજૂ થયો છે. અભિષેક બચ્ચને પત્ની ઐશ્વર્યાની ભૂમિકાની પ્રશંસા કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પોસ્ટના જવાબમાં એક ચાહકે અભિષેકને કહ્યું કે, જો એવું જ હોય તો તમે ઐશ્વર્યાને વધારે ફિલ્મો સાઇન કરવા દો અને તમે આરાધ્યાની સારસંભાળ કરવા પર વધારે સમય આપો. આ ચાહકને તૈયારીના સમયમાં અભિષેક બચ્ચને કહ્યું કે, ઐશ્વર્યાને ફિલ્મો સાઇન કરવા દો એવી વાત જ અસ્થાને છે. ઐશ્વર્યાને કશું પણ કરવા માટે તેમાં મારી પરવાનગી લેવાની જરૂર જ નથી અને તેમાં પણ ખાસ કરીને તેને જે કાર્યક્ષેત્રમાં ગમતું હોય તો તે કરી શકે છે. અભિષેકના આ વાયરલ જવાબથી લોકોએ તેણી પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે અણબનાવ સર્જાયો હોવાની અફવા બોલીવૂડમાં ચર્ચાતી થઇ હતી. જો કે અભિષેકે બાદમાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઐશ્વર્યા માટે લાગણી દર્શાવીને આ અફવાને શાંત પાડી હતી.
Advertisement
Advertisement
Advertisement