આમિરખાને અભિનયમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. હવે તે નેપાળ જવાના સમાચાર સામે આવ્યા છે. ફરવું, એન્જોય કરવું નહીં પરંતુ એક ધ્યાનના કાર્યક્રમમાં જોડાવું. જોકે તે એકલા ગયા છે કે કોઈની સાથે તે હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ હવે તે ધ્યાન કરવા માટે બીજા દેશમાં રવાના થઈ ગયા છે.
મિડિયા રિપોર્ટ અનુસાર, બોલિવૂડના જાણીતી અભિનેતા આમિર ખાન 7 મેના રોજ રવિવારે કાઠમંડુ જવા રવાના થયા હતા. એરપોર્ટ પર અભિનેતાને રિસીવ કરી રહેલા એક અધિકારીએ જણાવ્યું કે આમિર ખાન ધ્યાન કેન્દ્રમાં ગયા છે. તેઓ કાઠમંડુના બુધનીલકંઠમાં નેપાળ વિપશ્યના કેન્દ્રમાં ઓછામાં ઓછા 10 દિવસ વિતાવશે. આ શહેરની બહાર સ્થિત કાઠમંડુનું પ્રખ્યાત ધ્યાન કેન્દ્ર છે.
ઉલ્લેખનીય છે કે આમિર ખાન બોલિવૂડના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંના એક છે. તેમણે લગાન, થ્રી ઈડિયટ્સ, પીકે, દિલ ચાહતા હૈ, રંગ દે બંસતી જેવી હિટ ફિલ્મો આપી છે.
વિપશ્યના ભારતની એક પ્રાચીન વિદ્યા છે જેને ભગવાન બુદ્ધે શોધી હતી. આજના આધુનિક સમયમાં વિપશ્આયનાનો લાભ મળે તે માટે ડૉ.સત્યનારાયણ ગોએન્કાજીએ બર્માથી ભારત આવીને આખા વિશ્વમાં ફેલાવી. ગુજરાતમાં પણ વિપશ્યનાના 6 કેન્દ્રો છે જ્યાં આ વિદ્યા નિઃશુલ્ક શીખવવામાં આવે છે.
Advertisement