સ્પોર્ટ્સ ડેસ્ક: મહેન્દ્રસિંહ ધોનીનું ક્રિકેટ જગતમાં ઘણા માનથી નામ લેવામાં આવે છે. ધોનીની કેપ્ટન્સીમાં ભારતે 2011માં બીજી વખત 50 ઓવરનો વર્લ્ડકપ જીત્યો હતો. ધોનીએ ભારતને પ્રથમ ટી-20 વર્લ્ડકપ પણ જીતાડ્યો હતો. ધોનીના સંન્યાસને લઇને ટીમના ફિલ્ડિંગ કોચ રહી ચુકેલા આર.શ્રીધરે ખુલાસો કર્યો છે. કોચનું કહેવુ છે કે તેમણે ધોનીના અંતિમ વન ડે મુકાબલા અંગે પહેલાથી જ જાણ હતી.
Advertisement
Advertisement
આર.શ્રીધરે પોતાના પુસ્તક ‘કોચિંગ બિયોંડ- માય ડેઝ વિથ ઇન્ડિયન ક્રિકેટ’માં તેના વિશે જણાવ્યું છે, તેમણે કહ્યુ ધોનીએ પંત સાથે વાતચીત દરમિયાન પોતાની અંતિમ મેચનો ઇશારો આપી દીધો હતો. વર્ષ 2019માં વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સેમિ ફાઇનલ મેચનો ઉલ્લેખ કરતા શ્રીધરે લખ્યુ,
‘હવે હું આ જણાવી શકુ છુ કે BCCIને ઇન્ટરવ્યૂ આપતા સમયે જે મે એન્ટીગાથી એન્ટેડ કર્યો હતો, હું આ માની ચુક્યો હતો કે પ્રેક્ટિકલી ધોની પોતાની અંતિમ મેચ રમી ચુક્યો હતો, તેમણે તેની જાહેરાત કરી નહતી પરંતુ હું તમને જણાવીશ કે મને આ કેવી રીતે ખબર પડી. મેનચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વર્લ્ડકપ સેમિ ફાઇનલના રિઝર્વ ડેની સવાર, હું પ્રથમ વ્યક્તિ હતો જે બ્રેકફાસ્ટ હૉલમાં પહોચ્યો હતો. હું પોતાની કૉફી પી રહ્યો હતો જ્યારે ધોની અને રિષભ પણ ત્યા આવ્યા હતા, તેમણે પોતાનું બ્રેકફાસ્ટ લીધુ અને મારી સાથે ટેબલ પર આવીને બેસી ગયા હતા. ન્યૂઝીલેન્ડે કેટલીક ઓવર જ બેટિંગ કરવાની હતી અને તે પછી અમારી ઇનિંગ શરૂ થવાની હતી, માટે મેચ ઘણી જલ્દી ખતમ થવાની હતી. રિષભે હિન્દીમાં એમએસ ધોનીને કહ્યુ, ‘ભૈયા, કેટલાક લોકો એકલા લંડન જવાનો પ્લાન બનાવી રહ્યા છે, શું તમે જવા માંગશો? એમએસ ધોનીએ કહ્યુ, ‘ના, રિષભ, હું ટીમ સાથે પોતાની અંતિમ બસ ડ્રાઇવ મિસ કરવા નથી માંગતો.’
આ મામલે તે સમયે કઇ પણ ના જણાવવાનું કારણ કહેતા શ્રીધરે કહ્યું, “મે આ વાતચીત વિશે એક પણ શબ્દ તે વ્યક્તિ પ્રત્યે સમ્માનને કારણે કોઇને પણ કહ્યો નહતો, તેમણે મારી પર વિશ્વાસ કર્યો હતો. હું આ મામલે કોઇને જણાવી શકતો નહતો, માટે મે કોઇને કઇ કહ્યુ નહતુ. ના રવિ ભાઇ, ના અરૂણી અને ના તો મારી પત્નીને.”
ધોનીની ક્રિકેટ કરિયર
એમએસ ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા છે આ દરમિયાન તેને 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ધોનીએ અંતિમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં ડિસેમ્બર 2014માં રમી હતી. જ્યારે ધોનીએ 350 વન ડે મેચ રમી છે જેમાં 10773 રન બનાવ્યા છે જેમાં 10 સદી અને 73 અડધી સદી સામેલ છે. ધોનીએ અંતિમ વન ડે મેચ ન્યૂઝીલેન્ડ સામે 2019 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં રમી હતી.
ધોનીએ 98 ટી-20 મેચમાં 1617 રન બનાવ્યા છે. ધોનીએ અંતિમ ટી-20 મેચ ઓસ્ટ્રેલિયા સામે ફેબ્રુઆરી 2019માં રમી હતી.
Advertisement