મુંબઇ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) દેશની સૌતી વેલ્યૂએબલ કંપની 17 લાખ કરોડ રૂપિયા કરતા વધુ માર્કેટ કેપ ધરાવતી આ દિગ્ગજ કંપનીનો બિઝનેસ આજે કેટલાક સેક્ટર્સમાં ફેલાયેલો છે. આજે 28 ડિસેમ્બર 2022માં આ કંપનીનો પાયો નાખનારા સ્વર્ગીય ધીરૂભાઇ અંબાણીની જયંતી છે. ધીરૂભાઇની કરિયર જર્ની એક ફિલ્મ જેવી છે જેમાં કેટલાક ઉતાર-ચઢાવ જોવા મળે છે. આ ખાસ દિવસે આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ધીરૂભાઇ અંબાણીના સફર વિશે વાત કરીએ.
Advertisement
Advertisement
1932માં જૂનાગઢમાં જન્મ થયો
ધીરૂભાઇ અંબાણી (ધીરજલાલ હીરાચંદ અંબાણી)નો જન્મ 28 ડિસેમ્બર 1932માં સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં થયો હતો, તેમના પિતા સ્કૂલમાં શિક્ષક હતા અને ઘરની આર્થિક સ્થિતિ પણ સારી નહતી. એવામાં ઘરને ફાઇનાન્શિયલી હેલ્પ કરવા માટે તેમણે 10માં ધોરણ પછી જ નાના-મોટા કામ કરતા પૈસા ભેગા કરવાના શરૂ કર્યા હતા પરંતુ તેમની શરૂઆતની કમાણી ઘણી ઓછી હતી.
પેટ્રોલ પંપ પર 300 રૂપિયા પગાર પર નોકરી કરી
અભ્યાસમાં મન ના લાગ્યુ તો માત્ર 17 વર્ષની ઉંમરમાં તે પૈસા કમાવવા માટે વર્ષ 1949માં દેશની બહાર જતા રહ્યા હતા. ધીરૂભાઇ પોતાના ભાઇ રમણિક લાલ પાસે યમન જતા રહ્યા હતા જ્યા તેમણે એક પેટ્રોલ પંપ પર નોકરી કરી હતી. આ નોકરીમાં તેમણે 300 રૂપિયા મહિનાનો પગાર મળતો હતો. ‘એ. બેસ્સી એન્ડ કંપની’ નામના આ ફિલિંગ સ્ટેશન પર તેમણે મન લગાવીને કામ કર્યુ હતુ અને તેમના કામથી ખુશ થઇને તેમણે ફિલિંગ સ્ટેશનમાં મેનેજર બનાવી દેવામાં આવ્યા હતા.
મોટો માણસ બનવાનું મન બનાવી લીધુ
આ પેટ્રોલ પંપ પર કામ કરવા દરમિયાન જ ધીરૂભાઇના મનમાં મોટા માણસ બનવાનો વિચાર આવ્યો હતો અને તેમણએ કઇક અલગ કરવાનું વિચારી લીધુ હતુ. આ સપનુ લઇને માત્ર પાંચ વર્ષ પછી જ તે વર્ષ 1954માં ભારત પરત ફર્યા હતા. કેટલાક દિવસ ઘરે વિતાવ્યા બાદ તેમણે પોતાના સપના પર આગળ વધવા માટે પગલુ ભર્યુ હતુ અને ખિસ્સામાં 500 રૂપિયા લઇને માયા નગરી મુંબઇ જતા રહ્યા હતા.
પોતાના બિઝનેસ આઇડિયા પર આગળ વધ્યા
મુંબઇમાં એન્ટ્રી કર્યા પહેલા ધીરૂભાઇ અંબાણીએ બજાર વિશે જાણકારી ભેગી કરી હતી, તેમના ખિસ્સામાં ભલે માત્ર 500 રૂપિયા હોય પરંતુ તેમના મગજમાં બિઝનેસ આઇડિયાની ભરમાર હતી. અત્યાર સુધી આ સમજમાં આવી ગયુ હતુ કે ભારતમાં પોલિસ્ટરની માંગ સૌથી વધારે છે અને વિદેશમાં ભારતીય મસાલની માંગ છે. તેમણે આ સેક્ટરમાં શરૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો.
Reliance કંપની શરૂ કરી
આ બિઝનેસ આઇડિયા સાથે તેમણે 8 મે 1973માં પોતાની કંપની રિલાયન્સ કૉમર્સ કૉર્પોરેશનના નામથી શરૂ કરી હતી, જેના દ્વારા ભારતના મસાલા વિદેશમાં અને વિદેશનું પોલિસ્ટર ભારતમાં વેચવામાં આવતુ હતુ. વેપાર વધ્યો તો ધીરૂભાઇએ ક્યારેય પાછળ ફરીને જોયુ નથી.
2000માં બન્યા દેશના સૌથી અમીર
જ્યારે રિલાયન્સની શરૂઆત થઇ હતી તો તે સમયે ધીરૂભાઇ અંબાણીના 350 વર્ગ ફૂટની ઓફિસમાં એક ટેબલ, ત્રણ ખુરશી, બે સહયોગી અને એક ટેલિફોન જ હતો, તેમણે પોતાની દિનચર્યા નક્કી કરી રાખી હતી તેમણે પોતાના એક આર્ટિકલમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તે ક્યારેય પણ 10 કલાક કરતા વધુ કામ કરતા નથી. વર્ષ 2000 દરમિયાન જ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ બનીને ઉભર્યા હતા.
લાઇમ લાઇટથી દૂર રહેતા હતા ધીરૂભાઇ
કૉર્પોરેટ સેક્ટરમાં સફળતાના ઝંડા ગાડનારા ધીરૂભાઇ અંબાણી લાઇમલાઇટથી દૂર રહેતા હતા અને તેમણે પાર્ટી કરવાનું પસંદ નહતુ. આખો દિવસ કામ કર્યા બાદ તે પોતાની સાંજ પોતાના પરિવાર સાથે જ વિતાવતા હતા. જો ઘણુ જરૂરી ના હોત તો તે બિઝનેસના કામથી દેશની બહાર જવાની જવાબદારી કંપનીના અધિકારીને આપી દેતા હતા.
વર્ષ 2002માં થયુ નિધન
6 જુલાઇ 2002માં માથાની નશ ફાટી જવાને કારણે ધીરૂભાઇ અંબાણીનું નિધન મુંબઇની એક હૉસ્પિટલમાં થયુ હતુ. તે બાદ તેમના દ્વારા ઉભો કરવામાં આવેલ વેપાર સામ્રાજ્યની જવાબદારી બે પુત્ર મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ સંભાળી હતી. મોટા પુત્ર મુકેશ અંબાણી આજે દુનિયાના આઠમા સૌથી અમીર વ્યક્તિ છે અને એશિયાના બીજા સૌથી રઇસ છે. તે લાંબા સમય સુધી એશિયાના સૌથી અમીર માણસ રહ્યા છે. આ સિવાય તેમના નેતૃત્વમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો વેપાર સતત આગળ વધી રહ્યો છે.
Advertisement