ભારતીય રિઝર્વ બેંકે 2000ની ગુલાબી નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ નોટો માન્ય રહેશે અને તેને સરળતાથી બદલી શકાશે. જેના માટે 29મી સપ્ટેમ્બર છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ બેંકમાં ખાતું હોય કે ના હોય તે બેંકમાં જઈને આ નોટો બદલાવીને 100, 200 કે 500ની નોટ લઈ શકે છે.
કોઈપણ વ્યક્તિ 20,000ની મર્યાદામાં પોતાની 2000ની નોટ બદલાવી શકે છે તે બેંકમાં તેનું ખાતું હોવું જરૂરી નથી. રિઝર્વ બેંકે એ પણ કહ્યું છે કે આના માટે કોઈ ચાર્જ લગાડવામાં આવશે નહીં.
રિઝર્વ બેંકનો મૂળ ઉદ્દેશ પોતાની 2000ની નોટોને પરત લેવાનો છે જે 3.62 લાખ કરોડના મૂલ્યની છે.
આરબીઆઈના માર્ગદર્શન હેઠળ 2000ની નોટો માટે અલગથી વિન્ડો બનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત કોઈપણ વ્યક્તિ ત્યાં જઈને 20,000ની મર્યાદામાં નોટ બદલી શકશે. છેલ્લા 2018-19થી 2000ની નોટનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું છે.
Advertisement
Advertisement
એ વાત અલગ છે કે દરેક બેંક પોતાપોતાની વ્યવસ્થા આગવી રીતે અને પોતાની પાસે પડેલા નાણાં સ્ત્રોતની રીતથી આ સેવા પૂરી પાડી શકે છે. પરંતુ આનો અર્થ એ નથી કે જેનું ખાતું નથી એવી વ્યક્તિ નોટ બદલાવી ન શકે.
આ સેવા બિનખાતેદાર માટે પણ દરેક બેંકમાં પૂરી પાડવામાં આવી રહી છે.
Advertisement