સામાન્ય રીતે કમોસમી માવઠાઓ થતા રહે છે પણ તે કેટલાંક નાનકડાં વિસ્તાર કે પ્રદેશને અસર કરતાં હોય છે. કદાચ લાંબા અંતરાલ બાદ માર્ચ અને એપ્રિલ મહિનામાં ચોમાસા જેવો માહોલ ઊભો થયો છે. આ માહોલને કારણે કેટલાંક ઉનાળાને લગતા ધંધાને સીધી અસર થઈ છે તો વળી બીજી બાજું કેરી જેવા લોકજીવન સાથે સંકળાયેલા ફ્રૂટ પર પણ અસર થઈ છે.
Advertisement
Advertisement
બે મહિનાથી સતત ચાલી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું વાદળ ફરી વળ્યું છે. કમોસમી વરસાદને કારણે અને વાતાવરણમાં થયેલા બદલાવને કારણે આટલા બિઝનેસને સીધી અસર થવા પામી છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર નીચેના ધંધામાં માવઠાને કારણે ઓછામાં ઓછી 20 ટકા ઘટાડાની અસર થવા પામી છે. એ.સીના બિઝનેસ સિવાયના ધંધામાં સામાન્ય કે ગરીબ માણસ સીધો જોડાયેલો હોવાથી સિઝનલ ધંધામાં મોટી અસર ઊભી થઈ છે.
- સૌથી મોટી અસર એ.સીના બિઝનેસને થઈ છે. બે મહિનામાં કાળઝાળ ગરમીને કારણે એ.સીની તાતી જરૂરિયાત ઊભી થાય છે અને તેના કારણે એ.સીનું માર્કેટ વધે છે.
- બીજી તરફ ફ્રૂટમાં તરબૂચ, ટેટી અને કેસર કેરી આ ત્રણ ફળ ઊનાળામાં પ્રચલિત છે. આ ત્રણેય ફળોના પાક અને તેના વેચાણ પર પણ અસર થઈ છે. જુનાગઢના કેસર કેરીના એક ખેડૂતના જણાવ્યા અનુસાર આ વર્ષે કેસર કેરીમાં કોઈ ભલીવાર નથી. સતત માવઠાને લીધે કેરીઓ વહેલી ઉતારવી પડી છે અને જે નથી ઉતારી તેના પર ચાંદા પડી ગયા છે. એક વાર વરસાદ પડી જાય કે તરત જ કેરીમાં જીવાત પડે છે અને એ કારણ પણ કેરી પથ્ય રહેતી નથી.
- બરફના ગોળાના બિઝનેસ પર પણ ફટકો પડ્યો છે. ગરમીના કારણે દરેકના શરીરની તાસીર પ્રમાણે ગોળો ખાવાની ઈચ્છા થાય. પરંતુ આ વખતે વાતાવરણ એક જ વાર 40ના આંકડાને ક્રોસ થયું. આ જ કારણસર લોકોમાં બરફના ગોળાની એ સ્તરની ઈચ્છા નથી જાગી જેના કારણે ગોળા ખાવા જઈ શકાય. જ્યારે જ્યારે વાતાવરણ ઠંડું થાય ત્યારે ગોળા ખાવાની ઈચ્છા આપોઆપ ઓછી થઈ જાય.
- જે સ્થિતિ ગોળાવાળાની થઈ એ જ સ્થિતિ શેરડીના રસના ગરીબ વેચાણકારોની થઈ છે.
- ગુજરાતમાં આઈસ્ક્રીમનું મોટું માર્કેટ છે. ઉનાળો બેસતાં જ આઈસ્ક્રીમ કંપનીઓ પણ માર્કેટિંગ શરુ કરી દે છે. પરંતુ આ વખતે ઠંડકના કારણે આઈસ્ક્રીમના ઉપાડમાં પણ અસર જોવા મળી છે.
- ઉનાળામાં ભીંડા, ગવાર, દૂધી, આદુ, ટામેટા આ તમામ શાકભાજીઓને પણ વત્તાઓછા અંશે લોકલ માર્કેટમાં અસર થઈ છે.
- ગૃહઉદ્યોગમાં અથાણાના માર્કેટમાં પણ વરસાદની અસર કેરીઓની આવકના કારણે અસરગ્રસ્ત છે.
- કેટલાંક અંશે ગુજરાતમાં ટૂરીંગ બિઝનેસને પણ અસર થઈ છે. ગરમીથી કંટાળીને લોકો હવા ખાવાના સ્થળે જતાં જોવા મળે છે. પરંતુ એવી ગરમી હજુ નથી પડી કે જેના કારણે ક્યાંય જવું પડે. જેના કારણે લોકલ ટુરિઝમ પર અસર પડેલી જોવા મળે છે.
Advertisement