શા માટે ફ્લાઈટો કેન્સલ થાય છે ? હમણાં ગો ફર્સ્ટની ફ્લાઈટો બંધ થઈ ગઈ. એ પછી સ્પાઈસ જેટે પોતાની અમદાવાદ-ગોવાની ફ્લાઈટ કેન્સલ કરી અને આ કારણથી હજારો મુસાફરો રઝળી પડ્યા. એક તરફ વેકેશનની સિઝનમાં ટ્રેનોમાં રિઝર્વેશન મળતાં નથી અને એવામાં જ્યારે ફ્લાઈટ બુક કરાવી હોય અને કોઈ જગ્યાએ ગયા પછી જ્યારે ફ્લાઈટ કેન્સલ થાય છે ત્યારે અનેક પરિવારોને પોતાના ટાઈમ ટેબલ બદલવા પડે છે અને માત્ર આવવા માટેની જ નહીં પરંતુ અનેક પ્રકારની બીજી હાલાકીઓ પણ વેઠવી પડે છે.
Advertisement
Advertisement
ફ્લાઈટ કેન્સલ થવાના ચાર મુખ્ય કારણો છે.
નુકસાનીના કારણે
ઘણાં અંશે ફ્લાઈટો નુકસાનમાં પણ ચલાવવી પડે છે જેમ કે ઓફ સિઝનમાં જ્યારે થોડા મુસાફરો પણ આવતા હોય ત્યારે પણ ફ્લાીટ નુકસાની વેઠીને ચલાવવી પડે છે. સતત ચલાવવાને કારણે સ્વાભાવિક રીતે અન્ય ફ્લાઈટો સાથે કોમ્પિટિટિવ રેટમાં પણ નુકસાન થાય છે. દરેક ફ્લાઈટના જે ભાગીદારો છે એ પણ એવું જ ઈચ્છે છે કે એર લાઈન ચાલવી જોઈએ. જ્યારે એક એરલાઈન બંધ થાય છે ત્યારે અનેક લોકોની નોકરીઓ જોખમાય છે અને તેની વિશ્વસનીયતા પણ જોખમાય છે. સતત નુકસાની વેઠવાને કારણે લાંબો સમય ફ્લાઈટોને ચલાવવી મુશ્કેલ હોય છે. સરકાર પણ આમાં મદદ કરવા ઈચ્છે છે પરંતુ સ્પર્ધા કંપની માટે જોખમો ઊભા કરે છે.
સતત વધતા ખર્ચ અને મેઇન્ટેનન્સ કોસ્ટ
આજે જોઈ શકાય છે કે પ્લેનના સ્પેરપાર્ટ્સથી લઈને તમામ પ્રકારની વસ્તુઓ એટલી બધી મોંઘી હોય છે કે તેની સામે ટિકિટ દ્વારા મળતો નફો નહીવત્ત છે. એક મોટું કોમર્શિયલ જેટ 25થી 30 વર્ષ ચાલે છે. તે જેટને પણ લેબર ફોર્સ દ્વારા તલાવવામાં આવે છે અને તેની સાથે સંકળાયેલા અનેક લોકોને પણ ઊંચા પગાર ચૂકવવામાં આવે છે. વધતી જતી મેઇન્ટેનન્સની કિંમતો સામે ટિકિટોના ભાવોમાં સ્પર્ધાને કારણે ફરી મુશ્કેલીઓ ઊભી થાય છે.
અચાનક બનતી ઘટનાઓ પણ ફ્લાઈટના ધંધાને અસર કરે છે
ઘણીવાર અચાનક બનતી કુદરતી ઘટનાઓ કે રોગચાળાના સમયે પણ ફ્લાઈટના ધંધાને વિશેષ અસર પડે છે. જેમ કે ત્રાસવાદથી અસરગ્રસ્ત દેશોમાં ફ્લાઈટ ચલાવવી મુશ્કેલ બની જાય છે. કોરોના સમયે ઘણી બધી ફ્લાઈટોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
સામાન્ય રીતે લોકોને પણ એરલાઈન માટે ખૂબ સારી અપેક્ષાઓ હોય છે. બસમાં કે ટ્રેનમાં જેટલી કમ્પ્લેઈન નથી થતી એના કરતાં વધુ કમ્લેઈન ફ્લાઈટો માટે થાય છે. પેસેન્જરોની વધુ પડતી અપેક્ષાઓ ઘણીવાર સ્પર્ધા વધારે છે અને સોશ્યલ મીડિયાના આગમન પછી પોતાની આબરુ બચાવવી દરેક ફ્લાઈટ માટે એક મોટી ચેલેન્જ થઈ પડી છે. સતત ફરીયાદોને કારણે વેઠવામાં આવતા નુકસાન પણ ઓછા નથી હોતા.
ઓછો નફો અને વધુ ઝંઝટ
એક મુસાફરને અપાતી એરલાઈન સેવાઓની સામે નફાનું માર્જીન ખૂબ જ પાતળું છે. આવા કિસ્સામાં એક તરફ લોન લીધેલા નાણાંની ચૂકવણી કરતી અને નુકસાન વેઠતી કંપનીને નફાનું વળતર ખૂબ જ પાતળું મળે છે. આબરુ જાળવવા અને ફ્લાઈટને ચલાવવા માટે ઘણીવાર ઓછા મુસાફરો સાથે પણ ફ્લાઈટને ચલાવવી પડે છે ત્યારે એરલાઈન કંપનીને વધુ તકલીફ પડે છે.
Advertisement