એક તરફ જ્યારે એવિએશન વિભાગે રવિવારના દિવસે એક જ દિવસમાં સાડા ચાર કરોડ ભારતીય પ્રવાસીઓના પ્રવાસની જાહેરાત કરી અને આ વાતના ત્રીજા જ દિવસે ગો ફર્સ્ટે નાદારી નોંધાવીને તેની ફ્લાઈટો કામચલાઉ બંધ કરી છે.
Advertisement
Advertisement
વાડિયા ગ્રૂપની આ કંપનીને રૂ.8000ની જરૂર હોવાથી નાણાંકીય તંગીને કારણે ચોથી મેની ફ્લાઈટો બંધ કરી હતી. જેના કારણે કંપનીના સીઈઓએ આ દિવસની તમામ ફ્લાઈટો અનિશ્ચિત મુદત માટે બંધ રાખી છે. જેના કારણે અનેક મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી. આ અંગે કંપનીએ દિલ્હીમાં આવેલી નેશનલ લો ટ્રિબ્યુનલ અરજી પણ નોંધાવી દીધી છે. ખોનાએ જણાવ્યું હતું કે કંપનીના કાફલામાં રહેલા અડધા કરતાં પણ વધારે 28 વિમાનોને પ્રાટ એન્ડ વ્હીટની કંપનીએ એન્જિન્સ પૂરા ન પાડતાં ગ્રાઉન્ડ કરી દેવાયા છે. વિમાનો પડયા રહેવાથી ભંડોળની તંગી ઊભી થઈ છે.
ખોનાએ વધુમાં જણાવ્યું હતું કે આ એક કમનસીબ નિર્ણય છે અને અમારે કંપનીના હિતમાં આ નિર્ણય લેવો પડ્યો છે.
અત્યાર સુધીમાં છેલ્લા ત્રીસ વર્ષમાં 15 એરલાઈન્સ કંપનીઓ બંધ પડી હોવાની માહિતી છે.
આ અગાઉ આ જ પ્રકારની સમસ્યાથી વાયુદૂત એરલાઈન્સ, સહારા, પેરામાઉન્ટ, એમડીએલઆર, ડેક્કન, દરભંગા, દામનિયા, ગુજરાત એરવેઝ, એનઈપીસી, એર પેગાસસ, એર કોસ્ટા, એર કાર્નિવલ, જેટ એરવેઝ, એર મંત્રા, કિંગ ફિશર એરલાઈન્સનો સમાવેશ થાય છે.
Advertisement