સ્વાભાવિક છે કે જ્યારે નોટબંધીની જાહેરાત કરવામાં આવે ત્યારે RBI આ વાતનો કોઈ ગેરલાભ ના ઉઠાવે એ માટે આ વાતને ગર્ભિત રીતે રજૂ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે બીજા દિવસથી બેંકોને અમલ માટે મોટા પાયે વ્યવસ્થા કરવાની આવે જ. 2000ની નોટબંધીને ધ્યાનમાં લઈને અત્યારથી બેંક મેનેજરોએ ફોન કરીને બીજા દિવસની વ્યવસ્થાઓને કેવી રીતે સેટ કરવી તે માટે ઓનલાઈન મીટિંગો કરીને લોકોના ધસારાને કેવી રીતે પહોંચી વળવું તે માટેની ચર્ચાઓ કરી લીધી છે. આ માટેની પૂરતી સિક્યૂરિટીની વ્યવસ્થાઓ પણ ગોઠવવી જરૂરી છે.
Advertisement
Advertisement
નોટબંધીની સાથે સાથે પોલીસ વિભાગ અને ઈન્કમટેક્સ વિભાગ પણ હરકતમાં આવી ગયો છે. મોટા ભાગના મધ્યમ વર્ગીય પરિવારોનું કહેવું છે કે આમાં એમને કોઈ ચિંતા નથી. આ બધી ચિંતાઓ તો જેમને કાળા નાણાં હોય એમને છે. જેમની પાસે વધારે પડતાં કેશ પડ્યા છે તેમના માટે આ મોટી ચિંતાનો વિષય છે.
એમાંય આ વખતે સરકાર દ્વારા સમજીને બ્લેકમનીને પકડવા માટે માત્ર દસ જ નોટોનું કલેક્શન થઈ શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જે સામાન્ય લોકો માટે સરળ અને પૈસાદારો માટે અઘરી પ્રક્રિયા સાબિત થશે. કારણ કે જેની પાસે સો કે તેનાથી વધુ નોટો હશે તેણે ઓળખીતાઓનો ઉપયોગ કરીને પણ કંઈક તજવીજના પ્રયત્નો કરવા પડશે અને જેમની પાસે થપ્પા પડ્યા છે તેમણે કદાચ નદીમાં વહાવી દેવાનો વારો પણ આવી શકે છે.
જો કે સરકારે મોટા પાયે આ નોટોને બંધ કરવાની પ્રક્રિયા ચાલું કરી દીધી હતી એટલે પહેલી નોટબંધીથી જ અનેક લોકો તબક્કાવાર બ્લેકમની થ્રેટથી નીકળી જવા પા્મ્યા છે. વિદ્વાનોની દ્રષ્ટિએ ખાસ કરીને બિલ્ડર લોબીને અને કોરોના પછી અઢળક નાણું કમાયેલા લોકોને આની અસર થઈ શકે છે.
જે લોકો પહેલી નોટબંધી પછી પણ પારદર્શિતાના પાઠ નથી શિખ્યા તેમને આ બીજી નોટબંધીમાં વધારે તકલીફ પડી શકે છે.
Advertisement