ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઊંઝામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અહીંથી લાખોની કિમતનું નકલી જીરુ વેચવા બદલ ચેતન પ્રમોદભાઈ દરજી નામની પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન જે મુદ્દામાલ જપ્ત કરવામાંઆવ્યો હતો તેમાં લૂઝ વરિયાળી, લૂઝ જીરું, મિક્ષ પાવડર અને ગોળની રસી જેવી વસ્તુઓ સામેલ છે. આ બધું જ એક નબળી કક્ષાના જીરે કે વરીયાળીને વધુ સારા બતાવીને ઊંચા ભાવે વેચવામાં આવે છે.
Advertisement
Advertisement
આવો જ બીજો દરોડો હળવદમાં પાડ્યો હતો. હળવદમાંથી રૂ. 1.13 કરોડની વરિયાળી પકડાઈ હતી. નબળી કક્ષાની વરીયાળીને સારી બતાવવા માટે તેના પર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હાલ છેલ્લા બે મહિનાથી મસાલાની સિઝન પૂર બહારમાં છે. મસાલાના ભાવ પણ માવઠાને કારણે વધુ છે. માવઠાના બહાના હેઠળ સામાન્ય માણસોને છેતરવામાં આવી રહ્યા છે. કેવી રીતે તમે નકલી જીરું કે વરીયાળીને ઓળખી શકો. એ એક પ્રશ્ન છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભેળસેળને ઓળખવા માટેની કેટલીક કીટ આપવામાં આવે છે તેનો ઉપયોગ કરીને તમે નકલી ખાદ્ય પદાર્થને સરળતાથી પકડી શકો છો. આ કિટની સાથે એક બુકલેટ પણ હોય છે.
મોટા ભાગના ગ્રાહકો આ વાતથી અજાણ હોય છે પરંતુ તેઓ આ કિટ મેળવીને ગુણવત્તાયુક્ત વસ્તુ મેળવી શકે છે. જીરું કે વરીયાળી લેતી વખતે થોડી વરીયાળી કે જીરુ પાણીમાં નાંખવાથી પાણીનો રંગ બદલાવવાથી પણ તેના પર લાગેલા તત્ત્વો આપોઆપ રંગ બદલી નાંખશે.
અત્યારે સતત મોટા પાયે ભેળસેળના બનાવો બની રહ્યા છે અને તેની સામે ઊંચા ભાવે મરચા, જીરુ, વરીયાળી, રાઈ અને તેજાના વેચાઈ રહ્યા છે.
માવઠાના કારણે માર્કેટમાં અનેક વેપારીઓએ સારી ગુણવત્તા બતાવવા માટે આ પ્રકારની ભેળસેળ કરીને વેચાતા અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. પરંતુ આ કાર્યવાહીથી શું આ નકલ અને ભેળસેળની પ્રથાનો કાયમી અંત આવશે કે કેમ એ પ્રશ્ન છે.
તબીબોના મતે કોઈપણ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બનાવવા માટે વપરાતા તત્ત્વો કેમિકલ યુક્ત હોય છે જે લાંબો સમય ખાવાથી લીવર અને કિડની પર અસર કરે છે. ઘરમાં વપરાતા મસાલા આપણે લાંબો સમય ખાવા માટે ખરીદતા હોઈએ છીએ એટલે તે શરીરને લાંબી અસર કરી શકે છે.
Advertisement