સ્પોર્ટ્સ ડેસ્ક: BCCIના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ છે. ચેતન શર્માએ પોતાનું રાજીનામું BCCI સચિવ જય શાહને મોકલ્યુ હતુ જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. તાજેતરમાં ચેતન શર્માનું એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું હતુ જે બાદ વિવાદ થયો હતો. ચેતન શર્મા 7 જાન્યુઆરી 2023માં જ બીસીસીઆઇના ચીફ સિલેક્ટર બન્યા હતા. આ તેમનો બીજો કાર્યકાળ હતો પરંતુ આ વખતે 40 દિવસમાં જ તેમનો આ કાર્યકાળ સમાપ્ત થઇ ગયો હતો.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે ગત મંગળવારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા એક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં પસંદગી સાથે જોડાયેલા મુ્દદાનો ખુલાસો કરવાને કારણે વિવાદમાં ફસાયા હતા. બીસીસીઆઇએ તાજેતરમાં જ ચેતન શર્માને બીજી વખત પસંદગી સમિતીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ પહેલા તેમણે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
ચેતન શર્માએ એક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ પર આક્ષેપ લગાવતા બતાવવામાં આવ્યા છે, કથિત રીતે કોચ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી સાથે વાતચીતનો પણ ખુલાસો કર્યો હતો. ચેતન શર્માએ આરોપ લગાવ્યો કે ખેલાડી 80થી 85 ટકા ફિટ થવા છતા ક્રિકેટમાં જલ્દી વાપસી માટે ઇંજેક્શન લે છે.
Advertisement