સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઇ હતી. ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકેટે હરાવ્યું હતું. મેચના ત્રીજા દિવસે જ પ્રથમ સેશનમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 76 રનનો પડકાર મળ્યો હતો જે તેને 1 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. આ સાથે જ ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં ભારત 2-1થી આગળ છે. હવે આ શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
Advertisement
Advertisement
શાનદાર જીત સાથે ઓસ્ટ્રેલિયાએ WTC ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતની હારનું કારણ તેના બેટ્સમેન રહ્યા હતા. પ્રથમ ઇનિંગમાં 109 રનમાં ઓલ આઉટ થયા પછી ભારતીય ટીમ બીજી ઇનિંગમાં પણ 163 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ 59 રનની ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યરે 26 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયને ખતરનાક બોલિંગ કરતા 64 રન આપીને 8 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાએ જીતી ટેસ્ટ
ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટથી ઇન્દોર ટેસ્ટ મેચને જીતી લીધી છે. આ જીત સાથે જ તેને WTC ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 76 રનના પડકારને ઓસ્ટ્રેલિયાએ આસાનીથી મેળવી લીધો હતો. ટ્રેવિસ હેડ 49 અને લાબુશેન 28 રન બનાવીને અણનમ રહ્યા હતા. ભારત તરફથી એકમાત્ર વિકેટ આર.અશ્વિને ઝડપી હતી.
WTC પોઇન્ટ ટેબલમાં કેવી છે ભારતની સ્થિતિ?
નાગપુર અને દિલ્હી ટેસ્ટ જીતીને ભારતીય ક્રિકેટ ટીમે ધમાકેદાર અંદાજમાં પોતાના અભિયાનને આગળ વધાર્યુ છે. ઇન્દોરમાં જો ટીમ જીતી જાત તો તેને ફાઇનલમાં પ્રવેશ મલતો.
હવે ભારતે 9 માર્ચથી શરૂ થનારી સીરિઝની ચોથી ટેસ્ટ મેચના પરિણામ પર નિર્ભર રહેવુ પડશે. વર્તમાન તબક્કામાં ભારતે 16 મેચ રમી છે જેમાંથી 10 મેચ જીતી છે અને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, 2 મેચ ડ્રો રહી છે. ટીમ 64.06 ટકા સાથે બીજા નંબર પર છે.
Advertisement