નવી દિલ્હી: અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને 413 પાનાનો વિસ્તૃત જવાબ આપ્યો છે.જેમાં અદાણી ગ્રુપે હિંડનબર્ગના રિપોર્ટને ભારત, તેની સંસ્થાઓ અને ભારતની વિકાસ ગાથા પર સુનિયોજિત હુમલો ગણાવતા કહ્યુ કે તેના તમામ આરોપો ખોટા છે. આ રિપોર્ટનો ઉદ્દેશ્ય અમેરિકન કંપનીઓને ફાયદા માટે બજાર તૈયાર કરવાનો છે. મહત્વપૂર્ણ છે કે આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપને ભારે નુકસાન ઉઠાવવુ પડ્યુ છે.
Advertisement
Advertisement
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે?
અમેરિકા સ્થિત હિંડનબર્ગ રિસર્ચે પોતાના રિપોર્ટમાં ગૌતમ અદાણી પર ‘કોર્પોરેટ જગતની સૌથી મોટી છેતરપિંડી’નો આરોપ લગાવ્યો છે. અદાણી ગ્રુપના શેરના સાર્વજનિક વેચાણ શરૂ થયા પહેલા આ રિપોર્ટ સામે આવ્યો હતો. ગત અઠવાડિયે આવેલા આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપની કંપનીો પર એટલુ દેવુ છે જે આખા ગ્રુપને નાણાકીય રીતે વધુ જોખમ ધરાવતી સ્થિતિમાં ઉભુ કરી દે છે.
અદાણી ગ્રુપે રિપોર્ટમાં આ જાણકારીને ખોટી ગણાવી
અદાણી ગ્રુપે કહ્યુ કે આ રિપોર્ટ અડધા તથ્યો અને ખોટી જાણકારીથી તૈયાર કરવામાં આવ્યો છે. તેમનો ઇરાદો કંપનીને બદનામ કરવાનો છે. હિંડનબર્ગ ખોટા આરોપ લગાવીને સિક્યુરિટી માર્કેટમાં પોતાની જગ્યા બનાવવા માંગે છે.
અદાણી ગ્રુપે તમામ કાયદા અને નિયમના પાલનની વાતને દોહરાવતા કહ્યુ કે આ રિપોર્ટ ના તો નિષ્પક્ષ છે અને ના તો સ્વતંત્ર છે, તેમાં રિસર્ચની કમી પણ છે. પોતાના સ્વાર્થ માટે હિંડનબર્ગ રિસર્ચે આ રિપોર્ટ જાહેર કર્યો છે.
અદાણી ગ્રુપે રિપોર્ટના સમય પર સવાલ ઉભા કર્યા
ગૌતમ અદાણીના નેતૃત્વ ધરાવતા ગ્રુપે પોતાના જવાબમાં કહ્યુ કે આ ચિંતાજનક છે કે હજારો કિલોમીટર દૂર એક સંસ્થા, જેની કોઇ વિશ્વસનીયતા અને નૈતિકતા નથી, તે ગ્રુપના રોકાણકારો પર અપ્રત્યક્ષ રીતે નકારાત્મક અસર નાખી રહ્યુ છે. રિપોર્ટના સમય પર સવાલ ઉઠાવતા અદાણી ગ્રુપે કહ્યુ કે આ અદાણી એન્ટરપ્રાઇઝેજ લિમિટેડના FPO (ફૉલોઓન પબ્લિક ઓફર) આવવાના બે દિવસ પહેલા આવ્યો છે. એવામાં હિંડનબર્ગે પોતાની બદનિયતીનો પરિચય આપ્યો છે.
હિંડનબર્ગે પોતાના ફાયદા માટે જાહેર કર્યો રિપોર્ટ- અદાણી ગ્રુપ
413 પાનાના જવાબમાં લખવામાં આવ્યુ કે શોર્ટ સેલર હિંડનબર્ગે ખોટી રીતે અસંખ્ય રોકાણકારોને દાંવ પર લગાવીને પોતાના આર્થિક ફાયદા માટે આ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ જાહેર કરી હિંડનબર્ગે નિયમોનું પણ ઉલ્લંઘન કર્યુ છે.
હિંડનબર્ગની વિશ્વસનીયતા પર ઉઠાવ્યો સવાલ
અદાણી ગ્રૂપે હિંડનબર્ગની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે સંસ્થા પારદર્શિતા અને નિખાલસતાની વાત કરે છે, પરંતુ સંસ્થા તેના કર્મચારીઓ અને રોકાણકારો વિશે બહુ જાણીતું નથી. તેણે તેની સત્તાવાર વેબસાઇટ પર લખ્યું છે કે તેની પાસે દાયકાઓનો અનુભવ છે, પરંતુ એવું લાગે છે કે તેની શરૂઆત 2016માં થઇ છે.
મહત્વપૂર્ણ છે કે અદાણી ગ્રુપે હિંડનબર્ગ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પણ વાત કરી છે.
અદાણી ગ્રુપને ઉઠાવવુ પડ્યુ છે ભારે નુકસાન
24 જાન્યુઆરીએ આ રિપોર્ટ સામે આવ્યા બાદથી અદાણી ગ્રુપે ભારે નુકસાન ઉઠાવવુ પડ્યુ છે. બુધવાર અને શુક્રવારે વેપાર સત્રમાં ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 4.17 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
જેની સીધી અસર ગૌતમ અદાણીની કુલ સંપત્તિ પર પણ પડી છે અને તે વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં ત્રીજા સ્થાનથી આઠમા સ્થાન પર પહોચી ગયા છે.
Advertisement