મુંબઇ: ટીવી ઇન્ડસ્ટ્રીથી એક પછી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની જાણીતી ટીવી એક્ટર વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી છે. ટીવી એક્ટ્રેસે સુસાઇટ નોટ પણ લખી છે. ટીવી એક્ટ્રેસ વૈશાલી ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘સસુરાલ સિમર કા’ સહિત કેટલાક ટીવી શોમાં કામ કરી ચુકી છે.
Advertisement
Advertisement
વૈશાલી ઠક્કર એક વર્ષથી ઇન્દોરમાં રહેતી હતી. એક્ટ્રેસની આત્મહત્યાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને અભિનેત્રીના શબને જપ્ત કર્યો હતો. પોલીસે વૈશાલીના શબ પાસે સુસાઇટ નોટ પણ મળી છે.
આત્મહત્યાનું શું છે કારણ?
જાણકારી અનુસાર, તેજાજી નગર પોલીસ સ્ટેશન આ કેસની તપાસ કરી રહી છે. પોલીસ એક્ટ્રેસની આત્મહત્યાનું કારણ શોધી રહી છે. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ પણ મળી છે. સુસાઇડ નોટમાં એક્ટ્રેસની આત્મહત્યાની જાણકારી મળવાની આશા છે.
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’થી કરી હતી કરિયરની શરૂઆત
વૈશાલી ઠક્કર ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતુ નામ હતી. વૈશાલી કેટલાક પૉપુલર શોમાં કામ કરી ચુકી છે. વૈશાલીએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 2015માં ટીવીના મોસ્ટ પૉપુલર શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’થી કરી હતી. આ શોમાં તેને સંજનાનો રોલ પ્લે કર્યો હતો. તે બાદ વૈશાલી ‘યે હૈ આશિકી’માં પણ જોવા મળી હતી.
વૈશાલી ‘સસુરાલ સિમર કા’ના શોમાં પોતાના રોલ અંજલિ ભારદ્વાજ માટે જાણીતી હતી. ‘સસુરાલ સિમર કા’ શોથી ઘણી પૉપુલારિટી મળી હતી. વૈશાલી ઠક્કરે આ સિવાય ‘સુપર સિસ્ટર’, ‘મનમોહિની સીઝન-2’માં પણ શાનદાર કામ કર્યુ હતુ. વૈશાલી અંતિમ વખત ટીવી શો ‘રક્ષાબંધન’માં જોવા મળી હતી.
એક્ટ્રેસે એક મહિનામાં સગાઇ તોડી નાખી હતી
ગત વર્ષે એપ્રિલ મહિનામાં વૈશાલીએ સગાઇ કરી હતી. એક્ટ્રેસે પોતાના રોકા સેરેમનીનો વીડિયો શેર કરીને ફેન્સને ગુડ ન્યૂઝ આપી હતી. એક્ટ્રેસની સગાઇ પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં થઇ હતી. જોકે, સગાઇના એક મહિના બાદ જ વૈશાલીએ પોતાની સગાઇ તોડી નાખી હતી અને કહ્યુ કે તે હવે પોતાના ફિયાન્સ સાથે લગ્ન નહી કરે. લગ્ન કેન્સલ કર્યા બાદ વૈશાલીએ પોતાના રોકા સેરેમનીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પરથી ડિલેટ કરી નાખ્યો હતો. વૈશાલીએ આત્મહત્યા કેમ કરી તેનો હજુ સુધી ખુલાસો થયો નથી. પોલીસે તપાસ હાથ ધરી છે.
Advertisement