લખનઉ સુપર જાયન્ટંસનો કેપ્ટન કે.એલ.રાહુલ આઇપીએલમાંથી બહાર થઇ ગયો છ . વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ આવી રહી છે અને ફીટ થવા માટે પણ સમય ઘણો ઓછો સમય છે ત્યારે રાહુલ ફાઇનલ રમશે કે નહીં તે અંગે પણ અનિશ્ચિતતા રહી છે. રાહુલને આરસીબી સામેની ગઇ મેચમાં ઇજા થઇ હતી આથી તે હવે આઇપીએલમાં બાકીની લીગ મેચ નહીં રમે શકે. રાહુલની જેમ બોલર જયદેવ ઉનડકટ પણ મેચમાં થયેલી ખભાની ઇજાના લીધે તે પણ આઇપીએલમાંથી બહાર થઇ ગયો છે.
Advertisement
Advertisement
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ લંડનમાં ૭થી ૧૧ જૂનના રોજ રમાશે. ત્યારે બીસીસીઆઇ માને છે કે, અનુભવી બેસ્ટમેન ઝડપથી સાજો થઇ જાય અને ટીમમાં જોડાઇ તે જરૂરી છે. માર્સ સ્ટોઇનિસની બોલિંગ પર ફાફ ડુ પ્લેસિસની કવર ડ્રાઇવ પર બ્રાઉન્ડી તરફ દોડતી વખતે રાહુલને તેના જમણા પગમાં ઇજા થઇ હતી. રાહુલ આજે કેમ્પ છોડી દેશે અને તેનું સ્કેન મુંબઇમાં બીસીસીઆઇની મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવશે અને ત્યારપછી આગળ શું કરવું તે બીસીસીઆઇની ટીમ નક્કી કરશે.
Advertisement