નવી દિલ્હી: અદાણી ગ્રુપનો એશિયા રોડ શો 27 ફેબ્રુઆરીથી શરૂ થઇ ગયો છે. BQ PRIMEના રિપોર્ટ અનુસાર, આ રોડ શો સોમવારે સિંગાપુરમાં આયોજિત થયો હતો. આ દરમિયાન રોડ શોમાં ભાગ લેનારા રોકાણકારોને અદાણી ગ્રુપના અધિકારીઓએ વિશ્વાસ અપાવ્યો છે. એશિયા રોડ શોના પ્રથમ દિવસે ત્યા હાજર લોકો અનુસાર, અદાણી ગ્રુપના અધિકારીઓએ આવનારા વર્ષોમાં પોતાના દાયિત્વ અને કંપનીની ક્ષમતા પર પુરો ભાર આપ્યો છે.
Advertisement
Advertisement
આ શો દરમિયાન અદાણી ગ્રુપના અધિકારીઓએ રોકાણકારોને જણાવ્યુ કે આગામી ત્રણ વર્ષ સુધી મેચ્યોર થનાર લોન ચુકવવા માટે અમારી પાસે પુરતા પૈસા છે. આટલુ જ નહી, અદાણી ગ્રુપ પાસે 800 મિલિયન ડૉલરની ક્રેડિટ ફૈસિલિટી પણ છે.
મહત્વપૂર્ણ છે કે રોકાણકારો તરફથી અદાણી ગ્રુપના એશિયા રોડ શોને સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. અદાણી ગ્રુપના અધિકારીઓની આ પ્રાઇવેટ બેઠક હતી, માટે આ બેઠકમાં હાજર લોકોએ નામ ના છાપવાની શરત પર બ્લૂમબર્ગને જાણકારી આપી છે. જોકે, જ્યારે બ્લૂમબર્ગ તરફથી આ મુદ્દાને લઇને અદાણી ગ્રુપનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમની તરફથી કોઇ ટિપ્પણી કરવામાં આવી નહતી.
Advertisement