BCCIએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બાકીની બે ટેસ્ટ મેચ અને ઓસ્ટ્રેલિયા સાથેની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે.
Advertisement
Advertisement
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. તેમાંથી બે મેચ રમાઈ છે જેમાં ભારતનો વિજય થયો છે.
છેલ્લી બે મેચની જેમ આગળ જતા ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો બીજી તરફ ખરાબ પ્રદર્શન છતાં કેએલ રાહુલને વધુ આગળ તક આપવામાં આવી છે.
જયદેવ ઉનડકટની પણ પ્રથમ બે ટેસ્ટ માટે પસંદગી કરવામાં આવી હતી પરંતુ રણજી ટ્રોફીની ફાઇનલમાં બંગાળ સામે સૌરાષ્ટ્ર તરફથી રમવા માટે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે તેને પરત કરવામાં આવ્યો છે.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટેસ્ટ મેચ અને વનડે શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ઈજાના કારણે તે ડિસેમ્બર 2022થી આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લઈ રહ્યો નથી.
રોહિત શર્મા પારિવારિક કારણોસર ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. તેની જગ્યાએ હાર્દિક પંડ્યા સુકાની કરશે.
Advertisement