નવી દિલ્હી: Twitterએ ભારતમાં 3માંથી 2 ઓફિસ બંધ કરી દીધી છે. આ બે ઓફિસ દિલ્હી અને મુંબઇની છે. બેંગલુરૂમાં સોશિયલ મીડિયા પ્લેટફૉર્મની ઓફિસ પહેલાની જેમ ચાલતી રહેશે. બ્લૂમબર્ગ ન્યૂઝે તેને લઇને એક રિપોર્ટ પલ્બિશ કર્યો છે જેમાં કહેવામાં આવ્યુ કે જ્યારે કર્મચારી ઓફિસ પહોચ્યા તો તેમણે ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. CNBCના એક રિપોર્ટ અનુસાર, ટ્વિટરની ઇન્ડિયન ટીમમાં હવે માત્ર 3 કર્મચારી બાકી રહ્યા છે.
Advertisement
Advertisement
નવેમ્બરમાં મસ્કે ભારતમાં 90% (આશરે 200) સ્ટાફને કાઢવામાં આવ્યા હતા. એલન મસ્ક ટ્વિટરની ફાઇનાન્શિયલ હેલ્થને સુધારવા માટે સતત કૉસ્ટ કટિંગ કરી રહ્યા છે. કર્મચારીઓની છટણી સાથે તે વિશ્વભરમાં પોતાની ઓફિસને બંધ કરી રહ્યા છે.
ત્રણ કર્મચારી વર્ક ફ્રૉમ હોમ કરશે
રિપોર્ટ અનુસાર, ટ્વિટરની ઇન્ડિયા ટીમામં જે 3 કર્મચારી બાકી છે, તેમાંથી એક કંટ્રી લીડ છે. અન્ય બેમાંથી એકની પાસે નૉર્થ એન્ડ ઇસ્ટ અને એક પાસે સાઉથ એન્ડ વેસ્ટ રીઝનની જવાબદારી છે. આ તમામ વર્ક ફ્રૉમ હોમ પર રહેશે. બીજી તરફ બેંગલુરૂ ઓફિસમાં તે કર્મચારી કામ કરશે જે સીધા અમેરિકા ઓફિસમાં રિપોર્ટ કરે છે અને ભારતની ટીમનો ભાગ નથી.
મસ્ક 2023ના અંત સુધી ટ્વિટરને ફાઇનાન્શિયલ રીતે મજબૂત કરવા માંગે છે, તેમણે રેવન્યૂ વધારવા માટે બ્લૂ સબ્સક્રિપ્શન જેવી કેટલીક સર્વિસને મૉડિફાઇ પણ કરી છે. ભારતમાં આ સર્વિસનું મંથલી સબ્સક્રિપ્શન 650 રૂપિયા છે.
મસ્કે છટણી પર કહ્યુ હતુ- અમારી પાસે વિકલ્પ નથી
ગત વર્ષે છટણી પછી મસ્કે એક ટ્વીટ કર્યુ હતુ- ‘જ્યારે કંપનીને રોજના 40 લાખ ડૉલરનું નુકસાન થઇ રહ્યુ છે તો અમારી પાસે કર્મચારીઓને હટાવવા સિવાય કોઇ વિકલ્પ નથી, જેમણે પણ કાઢવામાં આવ્યા છે તેમણે 3 મહિનાનું સેવરેન્સ આપવામાં આવ્યુ છે જે કાયદાકીય રીતે આપવામાં આવતા એમાઉન્ટથી 50% વધારે છે.
સૌથી પહેલા CEO પરાગ અગ્રવાલને કાઢવામાં આવ્યા હતા
એલન મસ્કે 27 ઓક્ટોબર 2022માં 44 બિલિયન ડૉલરમાં ટ્વિટર ખરીદ્યુ હતુ. તે બાદ મસ્કે કંપનીના ચાર ટૉપ ઓફિશિયલન્સને બહાર કાઢી મુક્યા હતા. જેમાં CEO પરાગ અગ્રવાલ, ફાઇનાન્સ ચીફ નેડ સેગલ, લીગલ એક્ઝીક્યૂટિવ્સ વિજય ગડ્ડે અને સીન એડગેટ સામેલ છે. તે બાદ ચીફ માર્કેટિંગ અધિકારી લેસ્લી બેલરૈંડ, ચીફ કસ્ટમર ઓફિસર સારા પર્સનેટ અને ગ્લોબલ ક્લાઇંટ સૉલ્યૂશન્સના વાઇસ પ્રેસિડેન્ટ ઝીન-ફિલિપ મહૂને બહાર કરવામાં આવ્યા હતા.
નવા CEOની શોધમાં એલન મસ્ક
તાજેતરમાં દુબઇમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં એક વીડિયો કૉલ દ્વારા એલન મસ્કે કહ્યુ હતુ કે આ સુનિશ્ચિત કરવાનું કે પ્લેટફૉર્મ સારી રીતે કામ કરી શકે છે, તેમના માટે સૌથી મહત્વપૂર્ણ વાત છે, તેમણે કહ્યુ, ‘મને લાગે છે કે ઓર્ગેનાઇઝેશનને સ્થિર કરવા અને આ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત છે કે આ ફાઇનાન્શિયલી સારી કંડીશનમાં છે. ટ્વિટરના નવા CEO વિશે મસ્કે કહ્યુ, ‘આશા છે કે આ વર્ષના અંત સુધી અમને પોતાનો નવો CEO મળી જશે.’
Advertisement