મુંબઇ: ટીવી શો ‘અલીબાબા- દાસ્તાન એ કાબુલ’માં શીઝાન ખાન અલીબાબા અને એક્ટ્રેસ તુનિષા શર્મા શહજાદીના રોલમાં હતા. તુનિષાના મોત બાદ શીઝાન જેલમાં છે. એવામાં શોના મેકર્સની મુશ્કેલી વધી ગઇ છે. શોના કેરેક્ટર્સ પણ શૂટ પર આવતા ડરી રહ્યા છે બીજી તરફ આ કહાની ધીમે ધીમે નવા ટ્રેક તરફ વધી રહી છે. જોકે, એકાએક મેન લીડ વગર શો ચલાવવો આસાન નથી.
Advertisement
Advertisement
ઓફ એર થશે શો!
તુનિષાએ મેકઅપ રૂમમાં સુસાઇડ કર્યુ હતુ, જે બાદ સેટ પર ડરનો માહોલ છે. ટીમના લોકો શૂટિંગ સેટ પર આવતા ડરી રહ્યા છે. મેકર્સને દરરોજ ઘણુ નુકસાન ઉઠાવવુ પડી રહ્યુ છે. એવામાં શોના ઓફ એર થવાની જાહેરાત કરી દેવામાં આવી છે. બીજી તરફ બેકઅપમાં રહેલા કેટલાક એપિસોડ્સને ઓન એર કરી કહાનીને નવા ટ્રેક પર લઇ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ચેપ્ટર 2ની તૈયારી
‘અલીબાબા-દાસ્તાન એ કાબુલ’ના ચેપ્ટર 1માં તુનિષા અને શીઝાનની જોડીને પસંદ કરવામાં આવતી હતી પરંતુ એક્ટ્રેસના મોત બાદ શોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શીઝાનને રિપ્લેસ કરશે અભિષેક
જે રીતે સ્થિતિ ચાલી રહી છે એવામાં ટીવી શો ‘અલીબાબા-દાસ્તાન એ કાબુલના ચેપ્ટર-2માં શીઝાન ખાનની વાપસીની વાત પણ કોઇ કરતુ નથી. ચેપ્ટર 2માં નવા ચહેરા જોવા મળશે. જેમાં એક નામ અભિષેક નિગમનું છે. જોકે, મેકર્સ અને ખુદ અભિષેક તરફથી હજુ સુધી આ વાતનું કન્ફર્મેશન આવ્યુ નથી.
Advertisement