ગાંધીજીએ કહ્યું છે કે જો તમે સ્ટ્રેસથી દૂર રહેવા માંગતા હોવ તો તમારા કામનું આયોજન કરો. આ વાત આજે પણ એટલી જ અક્સીર છે.
Advertisement
Advertisement
જ્યારે તમે કોઈપણ કામનું આયોજન કરો છો ત્યારે આપોઆપ તમારો દિવસ તમારા નિયંત્રણમાં આવે છે. અચાનક કરવામાં આવતા કામમાં મન તૈયાર ના હોવાના કારણે વધુ તણાવ આવે છે અને સ્ટ્રેસ થાય છે.
આપણે જ્યારે પ્લાનિંગ નથી કરતાં ત્યારે અન્ય લોકો આપણને તેમના પ્લાનિંગનો ભાગ બનાવે છે.
પ્લાનિંગ બાદ સૌથી અગત્યની વાત એ છે કે જે લોકો તમને લાગણીવશ બનાવીને તેમના પ્લાનિંગનો ભાગ બનાવે છે ત્યારે તમારે ‘ના’ પાડવી પણ અગત્યની છે.
ઘણાં નજીકના મિત્રો વધુ પડતાં સેન્સિટિવ હોય છે તે કોઈને કોઈ પ્રોગ્રામમાં તમને સાથે જોડી દે છે અને ફોન કરે છે કે અહીં આવી જા, આજે પાર્ટી છે, તમારા પોતાના કામ પડતાં મૂકીને જ્યારે તમે તેની પાર્ટીમાં જોડાવ છો ત્યારે ઘણીવાર કમને પણ તમને એવું ફીલ થાય છે કે તમે તમારા ગમતાં કામને ન્યાય ન આપ્યો.
ખરેખર જોવા જઈએ તો આ તમારી ‘ના’ ન પાડવાની આદતનું પરિણામ છે. આપણે સ્પષ્ટ ના એટલે નથી બોલી શક્તા કારણ કે આપણે એવું વિચારીએ છીએ કે આપણા મિત્રો કે સગાવ્હાલાઓને ખોટું લાગશે. પરંતુ આપણો આ ભ્રમ છે. આપણી સ્પષ્ટતાને કારણે પણ આપણે સારુ ફીલ કરીએ છીએ અને તેના પરિણામે આપણે વધુ સારી રીતે સંબંધોને મેનેજ કરી શકીએ છીએ.
હા, એક વાત સાચી છે કે તમે તોછડાઈથી ‘ના’ ન કહો. પ્રેમથી ચોક્કકસ ના પાડો… જેમ કે
- ઓહ, સોરી હું નહીં આવી શકું.
- તમે જઈ આવો, હું ફરી ક્યારેક લાભ લઈશ.
- થોડું વહેલું જણાવ્યું હોત તો હું પ્લાનિંગ કરી શક્યો હોત.
- મારું ગમતું કામ હોવાથી મને મારા મજા આવી રહી છે.
- તમને બધાંને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમ તમારે એન્જોય કરો હું ફરી ક્યારેક તમારા એન્જોયમેન્ટનો કે કામનો ભાગ બનીશ. આમ આવી રીતે પોઝિટિવલી કહેશો તો તે વ્યક્તિ ખરેખર તમારી સાથે જોડાયેલો રહેશે અને તમે તમારા આયોજન અનુસાર તમારો દિવસ પસાર કરી શકશો.
ના પાડવી એ એક પોઝીટિવ કલા છે. તેના કારણે તમે તમારા શરીર અને મનમાં હળવાશ અનુભવી શકો છો. જે કોઈ દિવસ ના નથી પાડી શક્તા તેઓ સતત કમને બીજાના પ્રોગ્રામનો ભાગ બનતા રહે છે. તેમના તણાવમાં વૃદ્ધિ થાય છે. પારિવારિક કલહ પણ થાય છે. કેટલીક ઉંમર પછી પરિવાર લઈને બેઠેલા માણસ માટે ના પાડવાની કલા હોવી જોઈએ.
ઘણીવાર પાર્ટીઓના શોખિન મિત્રો સતત ફોન રણકાવીને અન્યને પોતાના પ્રોગ્રામમાં જોડાવાનો પ્રયત્ન કરતા હોય છે. સમયાંતરે સંબંધોમાં મેળાવડો પણ એક સારી બાબત છે પરંતુ ઘણાં મિત્રો સતત પોતાનું વર્ચસ્વ કે હાવિ થવાના ભાવથી અન્યના ટાઈમ ટેબલની દરકાર નથી કરતાં ત્યારે તમારે એક સ્પષ્ટ ના તમારા માટે શાંતિનો અહેસાસ લઈને આવશે. ના પાડતા શીખો.
Advertisement