મુંબઈ, મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે. સોમવારના આંકડાઓ આગલા દિવસના આંકડા કરતાં સીધા 60 ટકા ઓછા હોવાથી નિષ્ણાંતોના મતે કોરોનાની આ નાની લહેર હવે વળતા પાણીએ છે એવું કહી શકાય.
Advertisement
Advertisement
આજે મહારાષ્ટ્રમાં 226 કેસ નોંધાયા હતા જેમાંથી મુંબઈ મહાનગરમાં માત્ર 59 કેસો નોંધાયા છે જે રવિવારે નોંધાયેલા 545 કેસો સામે ઘણાં ઓછા કહી શકાય.
સરકારના અધિકૃત અધિકારીએ જણાવ્યું હતું કે રોજ આવનારા કેસ કરતાં રવિવારે ઘણાં ઓછા ટેસ્ટ નોંધાયા છે. રોજના 18000થી 20000 ટેસ્ટ થતાં હોય છે જેની સામે રવિવારના રોજ 9145 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મુંબઈમાં મોટા ભાગના દિવસોમાં ડબલ સંખ્યામાં આંકડા આવ્યા છે જે રવિવારના દિવસે ઘટ્યા છે. સોમવારે પણ ત્રણ વર્ષનો સૌથી ઓછા ટેસ્ટનો આંકડો આવ્યો છે. મુંબઈમાં દર્દીઓને રોજે રોજ દાખલ કરવામાં આવતા હતા તેની સામે માત્ર 6 જણાંને જ દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.
આ કારણથી હાલમાં માત્ર નવ જ જણાંનો સ્ટાફ માસ્ક પહેરીને કામ કરે છે. બૃહદમુંબઈ કોર્પોરેશન દ્વારા પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ આ પ્રમાણેના સૂચનો અને માર્ગદર્શન મોકલવામાં આવ્યા છે.
Advertisement