કોઇપણ કાર ચાલક કે જેને ફાસ્ટેગ ઇન્સ્ટોલ કરેલું છે તો બધા માટે સામાન્ય પ્રોબ્લમે એ જ હશે કે ફાસ્ટેગમાં રિચાર્જ કર્યા પછી તે રૃપિયા તમે ઉપયોગમાં લઇ શકતા નથી તે ત્યાં જ રહે છે. તે મામલે દિલ્લી હાઇકોર્ટે ફાસ્ટેગ પર વ્યાજની ચુકવણી અને કાર્ડમાં જરૂરી ન્યુનતમ બેલેન્સની માંગણી કરતી અરજી પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે. પિટિશનમાં બેંકોને ફાસ્ટેગમાં જમા કરાયેલા પૈસા પર વ્યાજ ચૂકવવા નિર્દેશ આપાવમાં આવે.
Advertisement
Advertisement
ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેંચે એનએચએઆઇ અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયને એક અરજી નોટિસ જારી કરી છે. અરજીમાં કહેવાયું છે કે, ફાસ્ટેગ જારી થવાથી કરોડો મુસાફરો, એનએચએઆઇ અથવા રોડ ટ્રાન્સપોર્ટ અનેહ વાઇવે મંત્રાલયને કોઇ લાભ આપ્યા વિના બેન્કિંગ સિસ્ટમમાં આવી ગયા છે. કોર્ટે તેના પર જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે અને આ મામલાની આગામી સુનાવણી માટે ૧૦ ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.
ફાસ્ટેગ વગરના વાહનોને ડબલ ટોલ ટેક્સ ચૂકવવાની ફરજ પાડતા નિયમને પડકારતી પેન્ડિંગ પિટિશનમાં અરજી દાખલ કરવામાં આવી હતી. પિટિશનમાં જણાવ્યું છે કે, આ નિયમો ભેદભાવપૂર્ણ, મનસ્વી અને જાહેર હિતની વિરૃદ્ધ છે કારણ કે તે એનએચએઆઇને રોકડ ચુકવણી માટે બમણા દરે ટોલ વસૂલવાની સત્તા આપે છે. ૩૦ હજાર કરોડથી વધુ પેન્ડિંગ સિસ્ટમમાં સામેલ થઇ છે.
અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રવીણ અગ્રવાલે અરજીમાં જણાવાયું છે કે, ફાસ્ટેગની રજૂઆત બાદ બેકિંગ સિસ્ટમમાં ૩૦ હજાર કરોડથી વધુનો ઉમેરો થયો છે. જો આ આંકડા પર વાર્ષિક ૮.૨૫ ટકાનો ફિકસ્ટ ડિપોઝિટ દર લાગુ કરવામાં આવે તો એએચએઆઇ દર વર્ષે ૨૦૦૦ કરોડથી વધારેનો ફાયદો થઇ શકે છે.
Advertisement