- લગ્ન સિવાયના દરેક શુભ કાર્યો થઈ શકશે
- આજે ફાગણ વદ આઠમને વહેલી સવારથી 6.35થી કમુહૂર્તાનો પ્રારંભ
બુધવારને 15 માર્ચ 2023થી ફાગણ વદ આઠમની વહેલી સવાર 6.35થી સૂર્ય મીન રાશીમાં પ્રવેશ કરશે અને મીનારક કમુહૂર્તાનો પ્રારંભ થશે. આ સાથે એક મહિના સુધી લગ્નગાળાની સિઝનમાં બ્રેક લાગશે.
Advertisement
Advertisement
મીનારક કમુહૂર્તામાં લગ્ન સિવાયના દરેક શુભ કાર્યો થઈ શકશે અને તેમાં કોઈપણ કમુહૂર્તાનો દોષ લાગતો નથી. 14મી માર્ચ 2023ના શુક્રવારે મીનારક કમુહૂર્તા પૂર્ણ થશે અને લગ્ન સિઝન શરુ થશે પરંતુ ગુરુ ગ્રહનો અસ્ત 28 એપ્રિલ સુધી છે. મે મહિનામાં તારીખ 2-5થી લગ્નના મુહૂર્તો શરુ થશે.
આમ લગ્નના મુહૂર્તોને આશરે દોઢ મહિનાની બ્રેક લાગશે. આ સમય દરમિયાન 22-4ના દિવસે અખાત્રીજનું વણજોયું મુહૂર્ત છે અને વણજોયા મુહૂર્તમાં રાશીબળ અને ગ્રહ અસ્તનો દોષ લાગતો નથી આથી આ દિવસે લગ્ન થઈ શકે છે. ચૈત્ર મહિનાની શરુઆતમાં 30-3ને ગુરુવારના રોજ રામનવમી અને 6-4ને ગુરુવારના રોજ હનુમાન જ્યંતી છે.
Advertisement