15 ઓગસ્ટ, 1947માં બીબીસી લંડનને મહાત્મા ગાંધીએ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે સ્પષ્ટ કહ્યુ હતુ કે દેશ ત્યારે આગળ વધી શકે છે જ્યારે અંગ્રેજીને છોડીને હિન્દીને રાષ્ટ્ર ભાષા (Hindi Diwas) બનાવવામાં આવે. “ભાષાની અસ્મિતા અને હિન્દીના વૈશ્વિક સંદર્ભ” નામના પુસ્તકમાં આ ઇન્ટરવ્યૂના કેટલાક અંશને પ્રકાશિત કરવામાં આવ્યા હતા. અહિંસાની વાત કરનારા ગાંધીએ તે સમયે પ્રથમ વખત તાનાશાહ બનવાની ઇચ્છા વ્યક્ત કરતા અંગ્રેજી પર પ્રતિબંધ અને હિન્દીને રાષ્ટ્રભાષા (Hindi Diwas) બનાવવાની વાત કરી હતી.
Advertisement
Advertisement
બાપૂએ કહ્યુ હતુ કે વિવિધ પ્રદેશોમાં અંગ્રેજી બોલનારા ઘણા મળી જશે પરંતુ તેમની સંખ્યા ઘણી ઓછી છે અને હંમેશા ઓછી જ રહેશે, જેનું મુખ્ય કારણ ભાષાનું કઠિન અને વિદેશી હોવાનું છે. સામાન્ય માણસ તેને ગ્રહણ નથી કરી શકતો, માટે આ શક્ય નથી કે અંગ્રેજી દ્વારા ભારત એક રાષ્ટ્ર બની જશે, માટે ભારતીયોને ભારતની જ કોઇ ભાષા પસંદ કરવી પડશે. કરોડો લોકોને અંગ્રેજીનું શિક્ષણ આપવુ તેમણે ગુલામીમાં નાખવા જેવુ છે, તેમણે કહ્યુ કે જો અમે 50 વર્ષમાં પોતાની ભાષા દ્વારા શિક્ષણ મેળવ્યુ હોત તો આપણા ભણેલા-ગણેલા લોકો પોતાના જ દેશમાં વિદેશીઓની જેમ અજનબી ના હોત, પણ દેશમાં દિલને મોહી લેનારી બોલી બોલતા. તે ગરીબ લોકો વચ્ચે કામ કરતા અને 50 વર્ષમાં તેમની સિદ્ધિ આખા દેશની વિરાસત હોત. અંગ્રેજી બોલવામાં મને એવુ લાગે છે જેનાથી પાપ લાગતુ હોય.
ગાંધીજીએ કહ્યુ, “માતૃભાષાનું અનાદર કરવુ માંના અનાદરની બરાબર છે. જે માતૃભાષાનું અપમાન કરે છે, તે સ્વદેશ ભક્ત કહેવાને લાયક નથી. અંગ્રેજીનો વિકાસ એટલા માટે થયો કે તે આગળ વધે અને તેમણે પોતાની ભાષાની પ્રગતિ કરી. જો અમે પોતાની માતૃભાષાની પ્રગતિ નથી કરી શક્યા અને અમારો સિદ્ધાંત રહ્યો છે કે અંગ્રેજી દ્વારા જ અમે પોતાના ઉંચા વિચાર પ્રકટ કરી શકીએ છીએ અને તેમનો વિકાસ કરી શકીએ છીએ તો તેમાં જરા પણ શક નથી કે અમે સદાય માટે ગુલામ બની રહીશુ. જ્યાર સુધી વૈજ્ઞાનિક વિષય માતૃભાષામાં નથી સમજાઇ શકાતા, ત્યાર સુધી રાષ્ટ્રને નવુ જ્ઞાન નથી મળી શકતુ.
અંગ્રેજીમાં શિક્ષણમાં 16 વર્ષની રાહ
ગાંધીજીએ કહ્યુ કે અંગ્રેજી ભાષાના માધ્યમમાં શિક્ષણમાં ઓછામાં ઓછા 16 વર્ષ લાગે છે. જો આ વિષયનું શિક્ષણ માતૃભાષાના માધ્યમથી આપવામાં આવે તો વધુમાં વધુ 10 વર્ષ લાગશે. વિદેશી શિક્ષણ મેળવવામાં મગજ પર જે ભાર પડે છે, તે અસહાય છે. આ બોઝ આપણા બાળક ઉઠાવી તો શકે છે પરંતુ તેની કિંમત તેમણે ચુકવવી પડે છે. તે બીજો ભાર ઉઠાવવા લાયક નથી રહેતા. આ કારણે તેઓ મોટે ભાગે નકામા, નબળા, નિરાશ, રોગી બની જાય છે. તેમનામાં શોધવાની શક્તિ, વિચારવાની શક્તિ, હિંમત, સહનશક્તિ, શૌર્ય, નિર્ભયતા અને અન્ય ગુણો ખૂબ જ ક્ષતિગ્રસ્ત છે. આ સાથે આપણે નવી યોજનાઓ બનાવી શકતા નથી અને જો કરીએ છીએ તો તેને પૂર્ણ કરી શકતા નથી.
જો હું તાનાશાહ હોત તો…
ગાંધીજીએ કહ્યુ કે જો મારા હાથમાં તાનાશાહીની સત્તા હોય, તો હું આજે જ વિદેશી માધ્યમ દ્વારા આપવામાં આવતા આપણા બાળકોનું શિક્ષણ બંધ કરી દઉં અને તમામ શિક્ષક અને પ્રોફેસરોને આ માધ્યમ તુરંત બદલાવી નાખુ અને તેમણે સસ્પેન્ડ કરી દઉં. હું અભ્યાસક્રમની તૈયારીની રાહ નહી જોવુ, તે તો માધ્યમના પરિવર્તનની પાછળ પાછળ પોતાની રીતે આવી જશે. આ એક એવી ખરાબી છે, જેની તુરંત સારવાર થવી જોઇએ. હિન્દી જ ભારતની રાષ્ટ્રભાષા બની શકે છે. આ સાથે જ દક્ષિણ ભારતના નેતા જ્યાર સુધી હિન્દી શીખવાનો ઇનકાર કરતા રહેશે, ત્યાર સુધી દક્ષિણ શેષ ભારતથી અલગ જ બન્યો રહેશે.
Advertisement