Hindi Day: આપણે એટલે કે ભારતીય લોકોને ભારતનો મૂળ દર્શન અને સંસ્કૃતિની ઝલક ભાષામાં જ દેખવા મળે છે. ખાસ કરીને હિન્દીમાં તે રસપ્રદ સામગ્રી અને રાષ્ટ્રીય દર્શન છે, જેને આપણે આપણા હૃદયમાં સાચવીને રાખવા માંગીએ છીએ. એક ભાષા સારા વ્યક્તિ અને વ્યક્તિત્વું નિર્માણ કરે છે અને સારૂ વ્યક્તિત્વ સારા સમાજનું નિર્માણ કરે છે અને સારૂ સમાજ જ એક આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આજે આપણે હિન્દી ભાષાના માધ્યમથી જ પ્રત્યેક ભારતવાસીઓમાં રાષ્ટ્રીય ભાવના અને રાષ્ટ્રવાદના સંચાર કરવામાં સફળ થયા છીએ.
Advertisement
Advertisement
વિચારો કે જો હિન્દી ભાષા ના હોતી તો?
જો હિન્દી ભાષા ન હોત તો કદાચ આટલા વ્યાપક રીતે આપણે ભારતના લોકોમાં ભાગ્યે જ રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી શક્યા હોત. સમાજમાં ભાષાથી સંસ્કૃતિ અને સંસ્કૃતિથી સભ્યતા સ્થાપિત થાય છે. ભારતમાં એક માનવીય સભ્યતા સ્થાપિત કરવામાં હિન્દીનો અકલ્પનીય યોગદાન રહ્યું છે. આજે તમામ ભારતીયોનું તે પરમ કર્તવ્ય બને છે કે આપણે હિન્દીની પ્રતિષ્ઠા વધારીએ જેથી આપણી ભાષા આંતરાષ્ટ્રીય સ્તર પર આપણા રાષ્ટ્રનું ગૌરવ વધારી શકે.
હિન્દી અને બાબા સાહેબ
આ સંબંધમાં બાબા સાહેબ આંબેડકરે પણ હિન્દીને સંપૂર્ણ ભારતની રાજકીય ભાષા બનાવવાનો પુરજોશથી સમર્થન કર્યું. તે ઉપરાંત તે વાત ઉપર પણ ભાર આપ્યો કે હિન્દીને રાજભાષાનો દરજ્જો કોઈપણ કિંમતે મળે.
બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતુ કે- “ભાષા જ એક રાષ્ટ્રને સંગઠિત અને અખંડ રાખી શકે છે અને આખા દેશમાં શાંતિ-સદભાવના અને વિચારોને સરળ બનાવી શકે છે.” બાબા સાહેબની ભાષા મરાઠી હતી તે છતાં તેમણે હિન્દીને પ્રથમ અને પ્રમુખ સ્થાન આપ્યું. તેમને કહ્યું કે – ” કોઈ પણ ભારતીય ભાષાકીય રાજ્યોમાં હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવા તૈયાર નથી તેને ભારતીય કહેવડાવવાનો કોઈ અધિકાર નથી. તે ખરા અર્થમાં ભારતીય ના હોઈ શકે. માત્રને માત્ર ભૌગોલિક આધાર પર જ તે પોતાના ભારતીય ગણી શકે છે.”
તે સમયે બાબા સાહેબે જે વાત કહી તે એકદમ યોગ્ય અને સચોટ સાબિત થઈ. તેમણે કહ્યું કે- “આપણે કોઈપણ ક્ષેત્રીય બોલી અને ભાષાને સરકારી ભાષાની માન્યતા આપવાથી ભારતને એક એકમના રૂપમાં સંગઠિત રાખી શકીએ નહીં અને જો એવું થાય છે તો ભારતીયોને ભારતીય પ્રથમ અને ભારતીય અંતિમ માનવાનો આદર્શ જ ધૂધળું થઈ જશે.”
આ પણ વાંચો- સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સરકાર 3000 કરોડ ખર્ચતી હોય તો બિરસા મુંડાની પ્રતિમા માટે કેમ નથી ખર્ચતી: છોટુ વસાવા
ડૉ. આંબેડકરની દલીલો અને તમામ પ્રયત્નો પછી હિન્દીને ભારતની બંધારણ સભામાં રાજભાષાનો સત્તાવાર દરજ્જો મળી ગયો.
હિન્દીને રાષ્ટ્ર ભાષા બનાવવા માટે મહાત્મા ગાંધીથી લઈને જવાહરલાલ નેહરૂ સુધીએ મુહિમ ચલાવી હતી, પરંતુ તેઓ પણ આ ઝુંબેશમાં સફળ થઈ શક્યા નહીં. તે સમયે અનેક લોકો એવા હતા જેઓ હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાના પક્ષમાં નહતા.
વર્ષ 1949માં ભારતની બંધારણીય સમિતિએ મુનશી-આયંગર કરાર પર હસ્તાક્ષર કર્યા, જેના પછી જે ભાષાને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી તે હિન્દી (દેવનાગરી લિપિમાં) હતી.
તમિલનાડુમાં હિંસક આંદોલનો
આઝાદીના 18 વર્ષ પછી એટલે 1965માં જ્યારે હિન્દીને દરેક જગ્યાએ ફરજિયાત કરવામાં આવી ત્યારે તમિલનાડુમાં હિંસક આંદોલનો થયા. તેમનું કહેવું હતું કે અહીંના લોકો હિન્દી નથી જાણતા તેથી તેને રાષ્ટ્રભાષા બનાવી શકાય નહીં. આજે પણ દક્ષિણ ભારતમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો હિન્દી બોલે અને જાણે છે.
ભારતના 20 રાજ્યોમાં હિન્દી બોલતા લોકોની સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ આપણે જે રાજ્યોને આપણે હિન્દી ભાષી માનીએ છીએ તેમાં પણ આદિવાસી અને પ્રાદેશિક ભાષા બોલતા લોકોની સંખ્યા ઘણી વધારે છે. આ જ કારણ છે કે આજ સુધી હિન્દીને રાષ્ટ્રભાષા બનવાની વિભાજિત ઈચ્છા છે.
Advertisement