ભારતમાં શિક્ષણના વેપારમાં શિક્ષણનું નુકસાન પણ સમાંતરે થઈ રહ્યું છે. પ્રત્યેક દિવસે નવા નવા ઈન્સ્ટિટ્યૂટ ઊભા થઈ રહ્યા છે. ભારતમાં ૧૧૭ બિલિયન ડોલરનો ‘શિક્ષણ ઉદ્યોગ’ છે. નવી નવી કોલેજો ઊભી થતી જાય છે. છતાં હજ્જારો ગ્રેજ્યુએટ યુવાનો, મર્યાદિત કે શૂન્ય આવડતને લીધે બેકાર બેસી રહ્યા છે.
Advertisement
Advertisement
શ્રેષ્ઠ કક્ષાના પ્રચાર પાછળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, ફેકલ્ટીના ઠેકાણાં નહીં, ક્વાલિફાઈડ સ્ટાફ નહીં અને માત્ર હાજરીના આધારે ડિગ્રીની પરંપરા ઘણી ભારતીય યુનિવર્સિટીઓનો શિરસ્તો બની ગઈ છે.
18થી 22 વર્ષના યુવાનો પોતાના મનને ફ્રેશ કરી શકે તેવા સ્પોર્ટસના ઈક્વિપમેન્ટ કે પછી ટેલેન્ટને દર્શાવી શકે તેવા હૉલના પણ ઠેકાણા નથી હોતા અને છતાં તેઓ ‘યુનિવર્સિટી’ શબ્દ વાપરે છે.
એટલું ઓછું હોય તો ઘણીવાર વધુ ડિગ્રી માટે પણ વિદ્યાર્થીઓ પ્રયત્ન કરે છે છતાં તેમને નોકરી મળતી નથી. મોટા ભાગના વિદ્યાર્થીઓ તેમનો રસ શેમાં છે તે પણ યોગ્ય રીતે જાણતા નથી. મોટા મોટા હોર્ડિંગ્સ અને જાહેરાતો મૂકવા છતાં આવી યુનિવર્સિટીઓમાં પ્રાધ્યાપકોની અછત પણ એટલી જ જોવા મળે છે.
આ યુનિવર્સિટી જોબ પ્લેસમેન્ટનું વચન આપે છે જેના કારણે શીખવાની બાબતનો સાવ લોપ ઊડી જાય છે.
સૌથી વધુ વિરોધીભાસ તો તે છે કે ભારતની યુનિવર્સિટીઓમાંથી જ આલ્ફાબેટ આઈએલસીના સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટ કોર્પોરેશનના સત્ય નાદેલ્સા જેવા વૈશ્વિક સ્તરના વ્યાપાર નિષ્ણાતો અને વડાઓ બહાર આવ્યા છે, ત્યાં બીજા છેડે નાની યુનિવર્સિટીઓમાં અને હજ્જારો ખાનગી કોલેજોમાં તો પૂરતા પ્રોફેસરો જ નથી હોતા અને જે કોઈ હોય છે તે પણ પૂરતા તાલિમબદ્ધ નથી હોતા. તેમ વૈશ્વિક સંશોધન સંસ્થા બ્લુમબર્ગ જણાવે છે.
પહેલાં આપણે વિદેશી યુનિવર્સિટીઓ પર લાંછન લગાવતા પરંતુ આપણે ત્યાં દુકાનો જેવી અનેક યુનિવર્સિટીઓમાં ભણાવવા સિવાય માત્ર ડિગ્રીઓ આપવાનું કામ વિશેષ રીતે કરવામાં આવે છે. જેના કારણે એક નકામી પેઢી પેદા થઈ રહી છે. જેની પાસે લાંબી લાઈન લખી શકાય એવી ડિગ્રી છે પરંતુ કામ કે આવડતના નામે શૂન્ય છે.
તાજેતરમાં જ બ્લુમબર્ગ બે ડઝનથી પણ વધુ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. તે સર્વેએ અભ્યાસ પછી નોકરી મેળવવાની ચિંતા દર્શાવી હતી. બીજી તરફ જાણીતી બિઝનેસ ફર્મસી અને એમ.જી. મોટર્સ જણાવે છે કે તેઓને સારા ગ્રેજ્યુએટસ શોધવામાં પણ ખૂબ તકલીફ પડે છે. તેમના વિષયનું પણ અપૂરતું જ્ઞાાન હોય છે. તો બીજી તરફ સામાન્ય જ્ઞાાન પણ ઘણું મર્યાદિત હોય છે..
યુપી, બિહારમાં અનેક બનાવટી કોલેજો ચાલી રહી છે જયાં એક પણ દિવસ ભર્યા વગર ડિગ્રી આપવામાં આવે છે. બનાવટી ડીગ્રી કૌભાંડનો પર્દાફાશ કરતા આ અહેવાલ જણાવે છે કે ભોપાલમાં એક બનાવટી મેડીકલ કોલેજનો કીસ્સો બહાર આવ્યો છે. ત્યાંની હોસ્પિટલમાં દર્દીઓ અપૂરતી અને ખોટી સારવારને લીધે મૃત્યુ પામ્યા હતા.
એવા પણ કીસ્સા થયા છે કે હિમાચલ પ્રદેશમાં ‘માનવ-ભારતી’ નામની યુનિવર્સિટી રચાઈ હતી જે બનાવટી માસ્ટર્સ અને પીએચડીની ડીગ્રી આપતી હતી. કોલેજમાં તે માટે પૂરતા કલાસરૂમ પણ ન હતા. તેની ઉપર તપાસ યોજાતાં તે કહેવાતી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નાસી ગયા છે જે પછીથી ધરપકડ પણ થઈ હતી.
Advertisement