બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ તેમના તાજમાં કિંમતી કોહિનૂર (Koh-i-Noor) હીરો કિંગ ચાર્લ્સ તૃતીયના પત્ની અને ડચેજ ઓફ કોર્નવેલ કૈમિલાને સોપવામાં આવશે. એલિઝાબેથ દ્વિતીયે આ વર્ષની શરૂઆતમાં કૈમિલા નામનું ‘ક્વીન કંસોર્ટ’ તરીકે જાહેરાત કરી હતી. ચાર્લ્સ તૃતીયના તાજપોશી દરમિયાન કૈમિલા, કોહિનૂર જડેલો તાજ પહેરીને જોવા મળી શકે છે. બ્રિટનના મહારાણીના નિધન બાદ કોહિનૂર ટ્વિટર પર ટ્રેડમાં આવી ગયુ હતુ અને તેને ભારતને સોપવાની માંગ કરવામાં આવી હતી.
Advertisement
Advertisement
કોહિનૂરની કહાની રસપ્રદ છે. કેટલાક ઇતિહાસકાર માને છે કે આ હીરો 11મીથી 13મી સદી વચ્ચે દક્ષિણ ભારતના ગોલકુંડાની ખાણમાં મળ્યો હતો, ત્યારથી આ આશરે 190 કેરેટનો હતો, હવે 105.6 કેરેટનો બચ્યો છે. વર્લ્ડ હિસ્ટ્રી ઇન્સાઇક્લોપીડિયા કોહિનૂર વિશે પ્રથમ લેખિત પ્રમાણ મોઘલ સામ્રાજ્યના સંસ્થાપક બાબરની આત્મકથા ‘બાબરનામા’માં મળે છે, જે વર્ષ 1526માં લખવામાં આવી છે. આત્મકથા અનુસાર, તેમની પાસે આ હીરો લડાઇમાં લૂંટ તરીકે આવ્યો હતો. બાબરે લખ્યુ કે આ હીરાની કિંમત આખી દુનિયાના રોજના ખર્ચાથી અડધી છે.
જોકે, ઇતિહાસકાર અને કોહિનૂર (Koh-i-Noor) પર ચર્ચિત પુસ્તક ‘કોહિનૂર: ધ સ્ટોરી ઓફ ધ વર્ડ્સ મોસ્ટ ઇનફેમસ ડાયમંડ’ના લેખક વિલિયમ ડેલરિંપલ અનુસાર કોહિનૂરનો પ્રથમ લેખિત ઉલ્લેખ વર્ષ 1750માં ફારસી ઇતિહાસકાર મોહમ્મદ મારવીના દસ્તાવેજમાં મળે છે.
વર્ષ 1739માં નાદિર શાહે દિલ્હી પર હુમલો કર્યો છે. હજારો લોકોની હત્યા કરી અને 57 દિવસ સુધી લૂંટફાટ કરતો રહ્યો. મુઘલ સલ્તનત દ્વારા આશરે 350 વર્ષમાં જમા કરવામાં આવેલી દોલત એક ઝટકામાં પડાવી લીધી. કિંમતી કોહિનૂર તે સમયે મુઘલ સલ્તનતની ગાદી ‘તખ્ત-એ-તાઉસ’માં જડેલો હતો. નાદિર શાહને કોહિનૂરની ખબર, તે સમયે દિલ્હીની ગાદી પર બેઠેલા મોહમ્મદ શાહ રંગીલાની એક નતર્કી પાસેથી પડી હતી.
જોકે, શાહ રંગીલાએ આ હીરાને બચાવવાનો પ્રયાસ કર્યો અને તખ્તથી કાઢીને પોતાની પાઘડીમાં છુપાવી દીધો હતો. બીબીસી, થિયો મેટકૉફના હવાલાથી લખે છે કે ‘નાદિર શાહ જ્યારે શાહ રંગીલાને મળ્યો તો કહ્યુ કે આવો મિત્રતાને કારણે આપણે એક બીજાની પાઘડી બદલી લઇએ. મજબૂરીમાં શાહ રંગીલાએ પાઘડી બદલવી પડી અને હીરો નાદિર શાહ પાસે જતો રહ્યો.’
નાદિર શાહે જ્યારે પ્રથમ વખત ‘કોહિનૂર’ (Koh-i-Noor)ને જોયો તો તેની આંખો ફાટી ગઇ હતી, તેને આ હીરાને ફારસી નામ ‘કોહિનૂર’ આપ્યુ જેનો અર્થ થાય છે રોશનીનો પહાડ નાદિર શાહ ‘કોહિનૂર’ને પોતાની સાથે અફઘાનિસ્તાન લઇ ગયો. વર્ષ 1747માં નાદિર શાહની હત્યા બાદ તેના અંગરક્ષક અહમદશાહ અબ્દાલીએ તેની પર કબજો કરી લીધો.
‘દુર્રાની રાજવંશ’નો પાયો નાખ્યો, જોકે, તેના વંશજ સત્તા સંભાળી ના શક્યા. વર્ષ 1813માં અબ્દાલીના વંશજ શાહ શુજા, કોહિનૂર સાથે અફઘાનિસ્તાનથી ભાગીને ભારત પહોચ્યા, તેમણે પંજાબના મહારાજા રણજીત સિંહના શરણના બદલે ‘કોહિનૂર’ ભેટમાં આપ્યો.
અંગ્રેજોના હાથમાં કેવી રીતે પહોચ્યો કોહિનૂર?
મહારાજા રણજીત સિંહ, કોહિનૂર (Koh-i-Noor)ને પોતાના બાજુ પર બાંધીને રાખતા હતા, તેમના દરબારમાં જ્યારે કોઇ ખાસ મહેમાન આવતો તો તેને કોહિનૂર જરૂર બતાવવામાં આવતો હતો. વર્ષ 1839માં મહારાજા રણજીત સિંહનું નિધન થયુ અને તેમના પુત્ર દલીપ સિંહ ગાદી પર બેઠા, ત્યારે તેમની ઉંમર માત્ર 5 વર્ષ હતી. વર્ષ 1849માં અંગ્રેજી હકૂમતે તેમણે સત્તા પરથી હટાવી દીધા અને કોહિનૂર પર પણ કબજો કરી લીધો, ત્યારે ગવર્નર જનરલ લૉર્ડ ડેલહૌજી ખુદ આ હીરાને લેવા લાહોર પહોચ્યા હતા, તેમણે પાણીના જહાજથી તેને મહારાની વિક્ટોરિયાને મોકલાવ્યો હતો.
કોહિનૂર, ટાવર ઓફ લંડનના ‘જ્વેલ હાઉસ’માં રાખવામાં આવ્યો છે. અહી શાહી પરિવાર તમામ ઘરેણા અને આભૂષણ રાખવામાં આવે છે. મુરઘીના ઇંડા આકારના કોહિનૂરનું વજન આશરે 21.6 ગ્રામ છે. kohinoordiamond.org અનુસાર કોહિનૂરની કિંમત આંકવી મુશ્કેલ છે પરંતુ જે બ્રિટિશ ક્રાઉનમાં આ જડેલો છે તેની કિંમત 10થી 12 બિલિયન ડૉલરની આસપાસ આંકવામાં આવી છે.
Advertisement