લંડન: બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીય (Queen Elizabeth II) નું 8 સપ્ટેમ્બર 2022માં 96 વર્ષની વયે નિધન થયુ છે. રૉયલ ફેમિલીએ નિધનની જાણકારી આપી છે. તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. 96 વર્ષના મહારાણી એલિઝાબેથ દ્વિતીય સ્કૉટલેન્ડના બાલ્મોરલ કાસલમાં હતા, ત્યા તેમનું નિધન થયુ હતુ. એક દિવસ પહેલા મહારાણી, બ્રિટનના નવા વડાપ્રધાન લિજ ટ્રસ સાથે જોવા મળ્યા હતા, તેમણે સીનિયર મંત્રીઓ સાથે વર્ચુઅલી મીટિંગ પણ કરવાની હતી પરંતુ ડૉક્ટર્સની સલાહ પર તેમણે આરામ કર્યો અને મીટિંગ ટાળી નાખી હતી. મહારાણી એલિઝાબેથ દ્વિતીય બ્રિટનની સૌથી લાંબા સમય સુધી (70 વર્ષ) શાસન કરનાર શાસક રહ્યા છે.
Advertisement
Advertisement
મહારાણી એલિઝાબેથ દ્વિતીયનો 21 એપ્રિલ 1926માં જન્મ થયો હતો, ત્યારે તેમના દાદા જૉર્જ પંચમનું શાસન હતુ, તેમના પિતા એલ્બર્ટ, જે પછી જોર્જ છઠ્ઠા તરીકે ઓળખાયા, તે જોર્જ પંચમના બીજા પુત્ર હતા, તેમની માતા એલિઝાબેથ, યોર્કના ડચેજ હતા. બાદમાં એલિઝાબેથના નામથી ઓળખાયા, તે બાદ મહારાણીને એલિઝાબેથ દ્વિતીય તરીકે ઓળખવામાં આવ્યા.
બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીય (Queen Elizabeth II) અને પ્રિન્સ ફિલિપના લગ્ન 20 નવેમ્બર 1947માં થયા હતા. એલિઝાબેથના પતિ ફિલિપ તેમના દૂરના સબંધી હતા. એલિઝાબેથને 13 વર્ષની ઉંમરમાં જ પ્રેમ થઇ ગયો હતો. આ શાહી કપલની એક ઝલક માટે બકિંઘહામ પેલેસની બહાર લોકોનું ટોળુ ઉમટતુ હતુ. આ કપલના પ્રથમ બાળક પ્રિન્સ ચાર્લ્સ 1948માં જન્મ્યા હતા. તે બાદ 1950માં બકિંઘહામ પેલેસમાં રાજકુમારી એનીનો જન્મ થયો હતો. જ્યારે આ કપલ લગ્નના 5 વર્ષ પથી 1952માં કેન્યાના પ્રવાસે હતુ, તે સમય દરમિયાન 6 ફેબ્રુઆરી 1952માં બીમાર કિંગ જોર્જ છઠ્ઠાનું નિધન થયુ હતુ અને આ દિવસે બધુ બદલાઇ ગયુ હતુ.
તે સમયે રાજકુમારી એલિઝાબેથ (Queen Elizabeth II) માત્ર 25 વર્ષના હતા અને તે સમયથી એક મહારાણી તરીકે પરત ફર્યા હતા. 2 જૂન 1953માં વેસ્ટમિંસ્ટર એબીમાં તેમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો, ત્યારથી અત્યાર સુધી તે બ્રિટનના 14 વડાપ્રધાન સાથે કામ કરી ચુક્યા છે, જોકે, 15મા પીએમ લિજ ટ્રસ સાથે કામ કર્યા પહેલા જ તેમણે દુનિયાને અલવિદા કહ્યુ હતુ.
મહારાણીના પતિ પ્રિન્સ ફિલિપનું 9 એપ્રિલ 2021માં નિધન થયુ હતુ, તે દરમિયાન આ શાહી કપલ કોરોના વાયરસ લૉકડાઉન દરમિયાન લંડનમાં વિંડસર કૈસલમાં રહેતો હતો. ત્રણ મહિના પહેલા જ મહારાણીના રાજના 70 વર્ષ પૂરા થવા પર બ્રિટને પ્લેટિનમ જુબલી સેલિબ્રેટ કરી હતી, જેમાં લાખો લોકો સામેલ થયા હતા અને ટીવી પર તેને દુનિયાભરના લોકોએ જોઇ હતી.
એલિઝાબેથ બીજા વિશ્વયુદ્ધના સમયે માત્ર 14 વર્ષના હતા જ્યારે તેમણે આટલી નાની ઉંમરમાં પ્રથમ વખત રેડિયો પર ભાષણ આપ્યુ હતુ. જનતાને સંબોધિત કરતા વિષમ પરિસ્થિતિમાં ધીરજથી કામ લેવાની અપીલ કરી હતી.
Advertisement