અરબી સમુદ્રના કાંઠે બિરાજતા ભગવાન સોમનાથ મહાદેવ શિવાલયમાં ૧૧ મે ૧૯૫૧ના દિવસે ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના હસ્તે ધાર્મિક વિધિવિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ દિવસને યાદ કરીને સોમનાથ મહાદેવ શિવાલયમાં આજે વિશેષ પૂજા કરવામાં આવશે. સોમનાથ મહાદેવ અને પ્રભાસક્ષેત્રને મધ્યમાં રાખી અનેક આદ્યાત્મિક અને ઐતિહાસિક ઘટનાઓ બની ચૂકી છે. આ ભૂમિમાં ભગવાન સોમનાથે ચંદ્રને કલંકમાંથી શાપમુક્ત કર્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણે આ ભૂમિને જ દેહોત્સર્ગ માટે પસંદ કરી હતી. એક જમાને આ મંદિરની ભારે જાહોજલાલી હતી. આખુ મંદિર સુવર્ણમય હતું. આ મંદિરના ધ્વસ્ત અને નવનિર્માણ એમ સર્જન અને વિસર્જન પ્રક્રિયા વચ્ચે પણ સોમનાથ મહાદેવ શિવાલયનો સમગ્ર ભારતમાં ઘણુું પ્રસિદ્ધ છે. આજના ડિજિટલ સમયમાં પણ લોકો વહેલી સવારે પોતાના મોબાઇલના ભગવાન શિવજીનો શિવજીના દર્શનનો લાભ લે છે સાથે મોબાઇલ સ્ટેટસમાં ફોટો મૂકીને ધન્યતા અનુભવે છે જે શિવજીની એક કૃપા ઘણી શકાય છે. સોમનાથ મંદિરના નિર્માણમાં સરદાર વલ્લભભાઇ પટેલનો સિંહફાળો રહ્યો છે. સોમનાથ મંદિરની ગરિમા પરત લાવવા દરિયાકાંઠે જળ અંજલી લઇને નવનિર્માણનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. ૧૯૫૧ની ૧૧ મેના રોજ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે મહાદેવજીને ભારતની ૧૦૮ નદીઓ, સાત સાગરોના જળથી જળાભિષેક કરાયો હતો. સવારે ૯ કલાક ૪૬ મિનિટે પ્રાણપ્રતિષ્ઠા થઇ હતી. આજે પણ આ મંદરિના ગર્ભગૃહને સુવર્ણમંડિત કરવામાં આવ્યું છે. દ્વારશાખ અને આગળના સ્તંભો, નૃત્ય, મંડપ, સભાગૃહના કળશો સુવર્ણજડિત બન્યા છે. મંદર નાગર શૈલીના મહામેરૃપ્રસાદ દેવાલય છે. આ મંદિરને સાત માળ છે અને તેની આજુબાજુ દરિયાકિનારો છે જેને લીધે ભગવાન શિવજીના દર્શન કરીને કુદરતી સૌંદર્યનો નજારો જોઇને લોકો ખુશી અનુભવે છે.
Advertisement
Advertisement
Advertisement