ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થતા જ રાજકીય દળ સક્રિય બની ગયા છે. ભાજપ અને કોંગ્રેસ સિવાય આ વખતે આમ આદમી પાર્ટી અને ઓવૈસીની AIMIM પણ મેદાનમાં છે. ભાજપ ફરી રાજ્યમાં સત્તા મેળવવા માટે મહેનત કરી રહી છે. બીજી તરપ આપના સંયોજક અરવિંદ કેજરીવાલનો દાવો છે કે આ વખતે ચૂંટણીમાં ભાજપને હરાવીને તેમની પાર્ટી સત્તા પર આવશે. જો જૂના આંકડાને જોઇએ તો ગુજરાતની 182 બેઠકમાંથી 115 બેઠક પર નોટા ત્રીજા નંબર પર હતુ. એવામાં સવાલ ઉભો થાય છે કે શું આમ આદમી પાર્ટીના મેદાનમાં આવતા આ વખતે સમીકરણ બદલાશે.
Advertisement
Advertisement
ગુજરાતના 3 કરોડ મતદારોમાંથી લગભગ 5.51 લાખ અથવા 1.84 ટકા મતદારોએ નોટાને પસંદ કર્યો હતો. ગુજરાતમાં નોટાના કુલ વોટ શેર ભાજપ (49.05%) અને કોંગ્રેસ (41.44%) બાદ ત્રીજા નંબર પર સૌથી વધુ (1.84%) હતા. 794 અપક્ષમાંથી માત્ર 3 ચૂંટણી જીત્યા હતા, આ એકમાત્ર ગ્રુપ હતુ જેમણે નોટા કરતા વધુ વોટ શેર મેળવ્યા હતા.
આ વખતે આમ આદમી પાર્ટીના ચૂંટણી લડવાને કારણે રાજ્યમાં મુકાબલો ત્રિકોણીય બની ગયો છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાનો મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરી દીધો છે. ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં જ આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી લડવાની છે. 2017ની ચૂંટણીમાં 1.84 ટકા લોકોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. એવામાં સવાલ ઉભો થાય છે કે શું રાજ્યમાં જનતા AAPને એક વિકલ્પ તરીકે જોઇ રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રીનો ચહેરો, 73 ટકા લોકોની પસંદ બન્યા
ડિસેમ્બરમાં 2 તબક્કામાં યોજાશે મતદાન
ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન યોજાશે અને પરિણામ 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની ચૂંટણીની સાથે જ આવશે. વિધાનસભાની 182 બેઠકમાંથી 89 બેઠક પર પ્રથમ તબક્કામાં અને 93 બેઠક પર બીજા તબક્કામાં મતદાન યોજાશે. આ વર્ષે 4.9 કરોડથી વધારે મતદાર વોટિંગ કરશે. રાજ્યમાં 51 હજાર કરતા વધારે મતદાન કેન્દ્ર બનાવવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023માં સમાપ્ત થઇ રહ્યો છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. કેન્દ્રએ ચૂંટણી પહેલા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની 160 કંપનીઓને તૈનાત કરી છે.
Advertisement