લેસેન્ટ આયોગની કોવિડ-19 મહામારીથી ભવિષ્ય માટે શિખામણ નામથી જાહેર થયેલા રિપોર્ટ (Lancet Commission report)માં પાછલા બે વર્ષના સમયગાળા પર નજર નાંખવામાં આવી છે, જેથી માહિતી મેળવી શકાય કે કોવિડ-19 સામે લડવામાં દુનિયાના દેશોએ ક્યાં ચૂક કરી છે.
Advertisement
Advertisement
રિપોર્ટમાં દુનિયાભરમાં COVID-19થી 1.72 કરોડ લોકોના મોતનો મસમોટા આંકડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આને ગંભીર ત્રાસદી અને અનેક સ્તરો પર દુનિયાની એક મોટી નિષ્ફળતા ગણાવી છે.
આ રિપોર્ટ પર 15 સપ્ટેમ્બરે પ્રતિક્રિયા આપતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ એક નિવેદનમાં જારી કરીને કહ્યું કે તેઓ ખુબ જ મહત્વપૂર્ણ ભલામણોનું સ્વાગત કરે છે. સાથે જ રિપોર્ટમાં કેટલીક ખોટી વ્યાખ્યાઓ તરફ પણ ઈશારો કર્યો છે.
આવો વિસ્તારથી સમજીએ કે રિપોર્ટમાં દુનિયાના COVID-19 મહામારી મેનેજમેન્ટ અને ભવિષ્યમાં અન્ય કોઈ મહામારીનો પનારો પડે તો તેના સામે કેવી રીતે લડવું તેના ઉપાયો અંગે શું કહેવામાં આવ્યું છે.
WHOએ શું ભૂલો કરી: રિપોર્ટના મુખ્ય મુદ્દાઓ
મહામારી સામે લડવા માટે પ્રારંભ કરવામાં ખૂબ મોડું કરવામાં આવ્યું
રિપોર્ટનું કહેવું છે કે વૈશ્વિક મહામારી દરમિયાન WHO જરૂરી મુદ્દાઓ પર ખુબ જ સંભાળીને અને ખુબ જ ધીમા નિર્ણય લીધા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે- ઉદાહરણ તરીકે બિમારીને આંતરાષ્ટ્રીય સ્તર પર સામાન્ય લોકો માટે હેલ્થ ઈમરજન્સી (PHEIC) જાહેર કરવાથી પહેલા યાત્રા પ્રતિબંધ અને સુરક્ષા પ્રોટોકલ લાગૂં કરવામાં લોકોને માસ્ક લગાવવામાં પ્રોત્સાહન આપવામાં થોડો વિલંબ થયો.
તે જણાવવામાં પણ વિલંબ થયો કે વાયરસ હવા (airborne transmission) દ્વારા પણ ફેલાઈ શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઝડપી પગલાઓ ના ભરવાના કારણે વાયરસના સંક્રમણને ઓછો કરવા માટે રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તર પર યોગ્ય ઉપાયો લાગૂં કરવામાં વિલંબ થયો.
આ પણ વાંચો: વિશ્વાસથી વિકાસ યાત્રા દરમિયાન કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારે ખાલી ખુરશીઓને આપ્યું ભાષણ
પારદર્શિતાનો અભાવ:
રિપોર્ટ કહે છે કે, “ઘણી સરકારો સંસ્થાકીય તર્કશીલતા અને પારદર્શિતાના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.”
લેન્સેટ કમિશને જાણવા મળ્યું કે ચેપ, મૃત્યુ, વાયરલ વેરિઅન્ટ્સ, આરોગ્ય પ્રણાલીના પ્રતિભાવ અને પરોક્ષ સ્વાસ્થ્ય પરિણામો અંગે સમયસર, સચોટ અને વ્યવસ્થિત ડેટાનો અભાવ હતો – આ બધાએ મળીને ઘણી હદ સુધી ખોટી માહિતી ફેલાવવામાં ફાળો આપ્યો હતો.
- જેટલી જરૂરત હતી, તેટલો આંતરાષ્ટ્રીય સહયોગ નહતો
- રિપોર્ટ દેશો વચ્ચે તેમની સ્ટ્રેટજી પર તાલમેલના અભાવ પર ધ્યાન અપાવે છે.
- “દુનિયાની મોટી શક્તિઓ વૈશ્વિક મહામારી પર કંટ્રોલ મેળવવામાં સહયોગ કરવામાં નિષ્ફળ રહી છે. ”
લેન્સેટ કમિશનનો કોવિડ-19 રિપોર્ટ:
લેન્સેટ કમિશનનું કહેવું છે કે સહયોગના અભાવના કારણે અને ખાસ કરીને બહુરાષ્ટ્રીય દવા કંપનીઓ તરફથી ટેસ્ટિંગ કિટ, દવાઓ અને વેક્સિનના ગેર-બરાબરી વહેંચણીના સાથે-સાથે નિમ્ન-મધ્યમ આવકવાળા દેશો (LMIC)ની વેક્સિન ઉત્પાદનમાં મદદમાં પોતાના દેશની તરફ ઝૂકાવ સ્પષ્ટ નજરે પડતો હતો.
ખોટી સૂચનાઓ પર લગામ લગાવવામાં નિષ્ફળતા:
દુનિયાભરના સ્વાસ્થ્ય અધિકારી ખોટી સૂચનાઓના ફેલાવાને રોકવામાં નિષ્ફળ રહેલા, જેને વેક્સિનને લઈને ડર અને પબ્લિક સેફ્ટી માપદંડો જેવા કે માસ્ક લગાવવાનો આદેશ અને સેલ્ફ આઈસોલેશન પર અમલ કરવાને નજર અંદાજ કરવામાં પ્રોત્સાહન આપ્યું.
રિપોર્ટમાં ઉજાગર કરવામાં આવી બીજી ખામીઓ
સરકારો ના માત્ર બિમારી ફેલાવવા પર કંટ્રોલ કરી શકીં પરંતુ લાંબા સમયગાળા સુધી ચાલનારી આ મહામારીના સામાજિક અને આર્થિક પરિણામોને ઓછો કરવા માટે સૌથી સારા ઉપાયો અને નીતિઓને લાગૂં કરવામાં નિષ્ફળ રહી છે.
વૈશ્વિક મહામારીએ લેબોરેટરીમાં બાયો-સેફ્ટી નિયમો પર અમલમાં બેદરકારી, જેનાથી લેબ સાથે જોડાયેલી મહામારી ફેલાય છે તેને ઉજાગર કરી.
રોગચાળાએ વસ્તીના સૌથી સંવેદનશીલ વર્ગોને સુરક્ષિત રાખવા માટે અપૂરતી તૈયારી અને વૈશ્વિક અને રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાના અભાવને પણ ઉજાગર કર્યો.
ભવિષ્ય માટે શિખામણ: લેન્સેટ કમિશનની ભલામણો
વધુ અસરકારક પરીક્ષણ અને રસીકરણની જરૂર છે:
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટા પાયે રસીકરણ, સસ્તું પરીક્ષણ અને નવા ઈન્ફેક્શનની સારવાર અને લાંબા કોવિડ-19 (ટેસ્ટ અને સારવાર) માટે સિસ્ટમ તૈયાર હોવી જોઈએ.
“જનતાનું રક્ષણ કરવાના ઉદ્દેશ્ય સાથે રસીકરણથી આગળ વધીને બનાવેલી વ્યૂહરચનાને સંકટ આવી જતાં તૈયારીઓ કરવાની નીતિઓની (જે અચાનક શરૂ થઈ જાય છે અને અચાનક બંધ થઈ જાય છે) જગ્યાએ કાયમી ધોરણે તૈયારી થવી જોઈએ.
આ પણ વાંચો: વિપુલ ચૌધરીની ધરપકડથી ગુજરાતનું રાજકારણ ગરમાયુ, કેમ ચર્ચામાં છે ‘અર્બુદા સેના’?
લેન્સેટ કમીશનનો કોવિડ-19 રિપોર્ટ:
યોગ્ય વૈશ્વિક સંકલન અને સહકારની જરૂર છે:
આમાં કહેવામાં આવ્યું છે કે સરકારોને ઘરેલૂ જાનવરો અને જંગલી જાનવરોના રેગ્યુલેશન પર તાલમેલ કરવો જોઈએ અને ખતરનાક પદ્ધતિઓ વિરૂદ્ધ કડક પગલાઓ ભરવા જોઈએ.
રિપોર્ટમાં ભલાણણ કરવામાં આવી છે કે ગ્લોબલ મોનિટરિંગની સાથે-સાથે ડેટા, ઈન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી, વેક્સિનેશન, ટેસ્ટિંગ કિટ અને દવાઓ જેવા સંસાધનોની વહેંચણી કરવા માટે એક મજબૂત નેટવર્ક બનાવવાની જરૂરત છે.
WHOને મજબૂત બનાવવું જોઈએ:
- રિપોર્ટમાં સલાહ આપવામાં આવી છે કે WHOના બજેટમાં ખુબ જ વધારો કરવો જોઈએ.
- તે ઉપરાંત આમાં તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે ગ્લોબલ હેલ્થ પોલિસીના બીજા કેન્દ્ર બનાવવા જોઈએ નહીં કેમ કે WHOની કેન્દ્રીય ભૂમિકાને નબળી કરશે.
- નેશનલ હેલ્થકેર સિસ્ટમને શક્તિશાળી બનાવવામાં આવે
- વૈશ્વિક મહામારી દરમિયાન અનેક નિમ્ન અને મધ્યમ વર્ગની આવકવાળા દેશોની એક મોટી ખામી પબ્લિકે હેલ્થકેર સંબંધી બુનિયાદી માળખું હતું, જે એક મહામારીને પહોંચી શકતું નહતું કેમ કે તેમના પાસે પહેલાથી જ સંસાધનોની અછત હતી.
- લેન્સેટ કમીશન કોવિડ-19 રિપોર્ટ અનુસાર- “મજબૂત પબ્લિક હેલ્થ સિસ્ટમમાં સ્થાનિક લોકો અને સામુદાયિક સંગઠનો વચ્ચે મજબૂત સંબંધ, મોનિટરિંગ અને રિપોર્ટિંગ સિસ્ટમ; મજબૂત મેડિકલ સપ્લાઈ ચેન હોવી જોઈએ. ”
- દેશોએ રોગ નિવારણ અને ઈમરજન્સીની તૈયારીઓ માટે વધુ અસરકારક તૈયારી માટે સંશોધનમાં રોકાણ વધારવું જોઈએ.
- ખોટી માહિતીનો સામનો કરવા માટે અસરકારક આરોગ્ય સંચાર વ્યૂહરચના વિકસાવવી જોઈએ.
- સામુદાયિક આરોગ્ય કાર્યકરો અને સમુદાય આધારિત સંસ્થાઓ સારી રીતે પ્રશિક્ષિત અને તૈયાર હોવા જોઈએ.
- દેશો પાસે સારી સર્વિલાંસ અને મોનિટરિંગ સાથે તેમની પોતાની દેશવ્યાપી મહામારીની તૈયારીની યોજનાઓ હોવી જોઈએ.
- રિપોર્ટમાં ખાસ કરીને પ્રાથમિક આરોગ્યસંભાળના વિશ્વ કક્ષાના આરોગ્ય કવરેજ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
WHOની પ્રતિક્રિયા
ગુરુવારે સવારે લેન્સેટ કમિશનના અહેવાલ પર પ્રતિક્રિયા આપતા, WHOએ કહ્યું, રિપોર્ટની ભલામણો “મહામારી પર અમારી વૈશ્વિક, ક્ષેત્રિય અને રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા માટે મજબૂત તૈયારીઓ, નિવારણ, તત્પરતા અને પ્રતિક્રિયાના અનુરૂપ છે.
WHOએ UN એજન્સીના કેન્દ્રીય બજેટને વધારવાના રિપોર્ટની ભલામણો અને નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશો માટે કાયમી ધોરણે ધનની વ્યવસ્થા કરવાની જરૂરત તરફ ધ્યાન અપાવ્યું છે.
WHO પણ રિપોર્ટની તે ટિપ્પણી સાથે સહમત છે કે અતિ-રાષ્ટ્રવાદ અને બૌદ્ધિક સંપત્તિની વહેંચણીની ઓછી ઈચ્છા અને ઉચ્ચ અને નિમ્ન આવકવાળે દેશો વચ્ચે વેક્સિનને લઈને અસમાન પ્રોત્સાહન આપવામાં આવ્યો.
WHO પણ રિપોર્ટની આ ટિપ્પણીઓ સાથે સહમત છે કે અતિ-રાષ્ટ્રવાદ અને બૌદ્ધિક સંપતિની વહેંચવાની ઓછી ઇચ્છાએ ઉચ્ચ અને ઓછી આવક ધરાવતા દેશો વચ્ચે રસીની અસમાનતાને વેગ આપ્યો.
જોકે, WHOએ તેમની કામની ગતિ અને અવકાશ અંગેના લેન્સેટ કમિશનના મૂલ્યાંકનને નકારી કાઢ્યું હતું અને કહ્યું હતું કે અહેવાલમાં ઘણા “ખોટા અર્થઘટન” કરવામાં આવ્યા છે અને “મૂળભૂત તથ્યોને અવગણવામાં આવ્યા છે”.
WHOનું કહેવું છે કે રિપોર્ટે તે વાતને નાની કરીને બતાવી છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ મહામારીને કેટલી ગંભીરતાથી લીધી અને મહામારીને પ્રથમ વખત આંતરાષ્ટ્રીય ચિંતાની પબ્લિક હેલ્થ ઈમરજન્સી (PHEIC) જાહેર કર્યા પછી સ્વાસ્થ્ય અધિકારીઓએ ઉઠાવવામાં આવનારા પગલાઓની એક લિસ્ટ બનાવી હતી.
આ પણ વાંચો: ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને 6 મહિનાની સજા, અમદાવાદ કોર્ટે કરી સજાની જાહેરાત
કોવિડ-19 વૈશ્વિક મહામારીમાં આગળ શું થશે?
જ્યાં સુધી કોવિડ-19 રોગચાળાની બાબત છે, WHOએ પહેલીવાર કહ્યું છે કે ‘અંત નજીક છે’.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આપણે અત્યારે કોવિડ-19થી છૂટકારો મેળવવાના નથી અને આવનારા સમયમાં રોગના નાના-મોટા લહેરો માટે તૈયાર રહેવું પડશે. તે છતાં તેમણે WHOની આશાવાદી આગાહીને આવકારી છે.
બુધવારે 14 સપ્ટેમ્બરના રોજ WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધનૉમ ઘેબ્રેયસસે પત્રકારોને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “આપણે હજી ત્યાં પહોંચ્યા નથી. પરંતુ અંત દેખાઈ રહ્યો છે.”
જોકે, તેમણે તે દરમિયાન ચેતવણી પણ આપી હતી કે આનો અર્થ એ નથી કે આપણે સાવચેતી રાખવાનું છોડી દઈએ.
મેરેથોન દોડ સાથે વૈશ્વિક રોગચાળાની તુલના કરતા ટ્રેડોસે કહ્યું, “હવે સખત દોડવાનો સમય છે અને ખાતરી કરો કે આપણે દોડ પૂરી કરીએ અને અમારી મહેનતનું ફળ ખાઈએ.”
Advertisement