શિમલા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં AIIMSનું લોકાર્પણ કર્યુ હતુ. આ સાથે જ હિમાચલ પ્રદેશને 3650 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓની ભેટ આપી હતી. પીએમ મોદીએ બિલાસપુરના લુહણૂ મેદાનમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે હિમાચલ પ્રદેશ વીરોની ધરતી છે. મે હિમાચલની રોટી ખાધી છે, માટે મારે અહીનું દેવુ પણ ચુકવવુ છે.
Advertisement
Advertisement
પીએમ મોદીએ બિલાસપુરના દેશવાસીઓને વિજયાદશમીની શુભકામનાઓ આપી હતી. પીએમ મોદીએ કહ્યુ, મારૂ સૌભાગ્ય છે કે વિજયાદશમી પર હિમાચલ પ્રદેશના લોકોને સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટને ભેટ આપવાની તક મળી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ, આજે હિમાચલમાં સેન્ટ્રલ યૂનિવર્સિટી પણ છે. IIT,IIIT અને IIM જેવી પ્રતિષ્ઠિત સંસ્થા પણ છે. દેશમાં મેડિકલ શિક્ષણ અને સ્વાસ્થ્યનું સૌથી મોટી સંસ્થા, એમ્સ પણ હવે બિલાસપુરની શાન વધારી રહી છે.
હિમાચલ વીરો માટે ઓળખાય છે- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે જે હિમાચલ પ્રદેશ આખા દેશમાં રાષ્ટ્ર રક્ષાના વીરો માટે ઓળખાય છે, તે હિમાચલ હવે આ એમ્સ પછી જીવન રક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ, બલ્ક ડ્રગ્સ પાર્ક્સ માટે દેશના જે 3 રાજ્યની પસંદગી થઇ છે જેમાં એક હિમાચલ પણ છે. મેડિકલ ડિવાઇસ પાર્ક માટે જે 4 રાજ્યને પસંદ કરવામાં આવ્યા છે તેમાં એક હિમાચલ છે.
નરેન્દ્ર મોદીએ કહ્યુ કે હિમાચલનો એક પક્ષ છે, જેમાં અહી વિકાસની અનંત શક્યતાઓ રહેલી છે. આ પક્ષ છે મેડિકલ ટૂરિઝમ. અહીની આબોહવા, અહીનું વાતાવરણ, અહીની જડીબુટ્ટી સારા સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી છે.
Advertisement