નવી દિલ્હી: ચીનમાં કોરોના વાયરસની નવી લહેરથી હાહાકાર વચ્ચે ભારત માટે પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે. આગામી 40 દિવસ ભારત માટે ગંભીર બની શકે છે, કારણ કે જાન્યુઆરીમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી શકે છે. ભારતમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થવાનો દાવો છેલ્લા ટ્રેંડ્સને જોતા કરવામાં આવી રહ્યો છે.
Advertisement
Advertisement
પહેલા પણ એવુ જોવા મળ્યુ છે કે ઇસ્ટ એશિયાને પ્રભાવિત કરવાના 30થી 35 દિવસ પછી જ ભારતમાં કોવિડ-19ની નવી લહેર પહોચી હતી, માટે આ એક ટ્રેંડ બની ગયો છે, જેના આધાર પર આ દાવો કરવામાં આવી રહ્યો છે.
જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોનું કહેવુ છે કે આ વખતે કોરોના સંક્રમણ લોકો માટે વધુ ગંભીર નથી. એવામાં જો કોઇ લહેર આવે પણ છે તો દર્દીના મોત અને તેમના હૉસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ઘણી ઓછી રહેશે. બીજી તરફ કોરોનાના નવા વેરિએન્ટ BF.7 પર દવા અને વેક્સીન કેટલી અસરદાર છે, સ્વાસ્થ્ય મંત્રાલય તેને લઇને સ્ટડી કરી રહ્યુ છે.
છેલ્લા બેથી ત્રણ દિવસમાં 6 હજાર આંતરરાષ્ટ્રીય મુસાફરોની તપાસ કરવામાં આવી ચુકી છે જેમાં 39 આંતરરાષ્ટ્રીય મુસાફર કોરોના પૉઝિટિવ આવ્યા છે, જેને જોતા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુરૂવારે દિલ્હી એરપોર્ટ પહોચશે અને જાણકારી મેળવશે.
ભારતમાં કોરોનાના કેટલા કેસ સામે આવ્યા
સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર આંકડા અનુસાર, ભારતમાં બુધવારે કોરોનાના 188 નવા કેસ સામે આવ્યા છે જે બાદ કુલ કોરોના કેસની એક્ટિવ સંખ્યા વધીને 3 હજાર 468 પહોચી ગઇ છે. વર્તમાન સમયમાં ભારતમાં દરરોજ પૉઝિટિવિટી રેટ 0.14 ટકા જ્યારે અઠવાડિક 0.18 ટકા છે.
ચીનમાં કોરોનાનો હાહાકાર
ચીનમાં કોરોના વાયરસનું નવુ વેરિએન્ટ ગંભીર રૂપ લઇ ચુક્યુ છે. રિપોર્ટ્સની માનીએ તો ચીનમાં મોટી સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. દરરોજ આંકડો લાખોમાં જઇ રહ્યો છે, હૉસ્પિટલ પણ કોરોનાના દર્દીથી ઉભરાઇ રહી છે અને દર્દીને જગ્યા મળતી નથી. ચીનમાં દવાની પણ કમી જોવા મળી રહી છે.
Advertisement