7મી મેના રોજ લેવાઈ રહેલી તલાટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસેથી કન્ફર્મેશનનું કામ લગભગ હવે અંત તરફ છે. જેમાં છેલ્લી તારીખ 20મી એપ્રિલ 11 વાગ્યા સુધીનો સમય છે.
Advertisement
Advertisement
આ અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી સમિતિના અધ્યક્ષ આઈપીએસ હસમુખ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં છ લાખને કન્ફર્મેશન આપવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓએ પ્રક્રિયા પૂરી નથી કરી તેઓ કરાવી લે. કોલ લેટર અંગે હસમુખ પટેલે જણાવ્યું હતું કે આઠથી દસ દિવસ પહેલા દરેક વિદ્યાર્થીઓને કોલ લેટર મળી જાય એ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમના સંમતિ પત્રક મળ્યા છે તેઓ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
દરેક વિદ્યાર્થીઓને સરખો સમય મળે એ માટેની કાળજી લેવામાં આવી છે. 50થી 60 કિલોમીટરના અંતરે જ કેન્દ્ર ફાળવવામાં આવે તે માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ડમી કાંડ મામલે બ્લેકલિસ્ટ થયા છે તેમને પણ ફરી બેસવા દેવામાં આવશે નહીં.
આ વખતે પેપર ફૂટે નહીં તે માટેની પૂરેપૂરી કાળજી રાખવામાં આવી છે. આ ઉપરાંત તમામ માહિતી પર નજર રાખવામાં આવી રહી છે.
Advertisement