સમાજવાદી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું 75 વર્ષની વયે નિધન થયુ છે. શરદ યાદવ સમાજવાદી આંદોલનના એક મજબૂત સ્તંભ રહ્યા છે. પોતાના રાજકીય જીવનમાં જન્મસ્થળ મધ્ય પ્રદેશના જબલપુરથી બે વખત સાંસદ, ઉત્તર પ્રદેશના બદાયૂથી એક વખત અને બિહારના મધેપુરાથી ચાર વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા. આ સિવાય બિહારમાં જનતા દળ યૂનાઇટેડ તરફથી રાજ્યસભામાં પણ ગયા હતા. શરદ યાદવ JDUના સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યા હતા. શરદ યાદવના નિધન પર લાલુ પ્રસાદ યાદવે સિંગાપુરમાં હૉસ્પિટલથી વીડિયો મેસેજ દ્વારા શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
Advertisement
Advertisement
દેવીલાલ-શરદ યાદવ-નીતિશ કુમારની પસંદ હતા લાલુ
શરદ યાદવે પોતાના રાજકીય જીવનમાં જેટલો બિહારની રાજનીતિમાં પ્રભાવ નાખ્યો છે ભાગ્યે જ કોઇએ અન્ય રાજ્યમાં એટલો પ્રભાવ જોયો હશે. શરદ યાદવના રાજકીય જીવનના કેટલાક રસપ્રદ કિસ્સા હતા, તેમાંથી એક કિસ્સો માર્ચ 1990નો હતો. 1989માં વીપી સિંહના નેતૃત્વમાં યૂનાઇટેડ ફ્રંટની સરકાર કેન્દ્રમાં બની ગઇ હતી. ઉત્તર પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી અને ત્યાં પણ મુાયમ સિંહ યાદવના નેતૃત્વમાં નવી સરકાર બની હતી. માર્ચ 1990માં બિહાર વિધાનસભા ચૂંટણી યોજાઇ અને કોંગ્રેસને સત્તામાંથી જનતાએ બહાર કરી દીધી હતી. જનતા દના વિધાયક દળના નેતા ચૂંટવાનો વારો આવ્યો તો માનવામાં આવ્યું કે 1979માં કેટલાક મહિના મુખ્યમંત્રીની ખુરશી પર બેઠેલા રામસુંદર દાસ જ મુખ્યમંત્રી હશે, કારણ કે તે વડાપ્રધાન વીપી સિંહ અને જૉર્જ ફર્નાન્ડીસની પ્રથમ પસંદ છે પરંતુ લાલુ યાદવનું પણ નામ ચાલી રહ્યુ હતુ અને તે દેવીલાલ-શરદ યાદવ-નીતિશ કુમારની પસંદ હતા.
વોટિંગ માટે ઝઘડી પડ્યા હતા શરદ યાદવ
દાસના પક્ષમાં આ વાત પણ કહેવામાં આવી કે મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી છે તો બિહારમાં પણ એક યાદવ કેવી રીતે મુખ્યમંત્રી બની શકે છે? જોકે, કોંગ્રેસના જમાનામાં નારાયણ દત્ત તિવારી ઉત્તર પ્રદેશના અને ભાગવત ઝા આઝાદથી લઇને ડૉક્ટર જગન્નાથ મિશ્રા બિહારના મુખ્યમંત્રી એક જ સમયમાં રહી ચુક્યા હતા. જનતા દળ વિધાયક દળના નેતા સર્વસમ્મતિથી પસંદ કરવાની કવાયત શરૂ થઇ તો શરદ યાદવ ધારાસભ્યો પાસે વોટિંગ દ્વારા નેતા પસંદ કરવા પર અડી ગયા હતા. તે બેઠક પહેલા શરદ યાદવ, નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ આ વાતનો અંદાજો હતો કે જો સીધો મુકાબલો થયો તો દાસ જીતી શકે છે. બીજી તરફ તે સમયે પાર્ટીના સીનિયર નેતા પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર પણ વીપી સિંહને હરાવવા માટે પોતાના સમર્થક રઘુનાથ ઝાને ઉમેદવાર બનાવવા માંગતા હતા. રઘુનાથ ઝાને મોટાભાગે રાજપૂત ધારાસભ્યોનો મત મળ્યો હતો. પટણાના વ્રજ કિશોર મેમોરિયલ હૉલમાં રોમાંચક બેઠકમાં લાલૂ યાદવની જીતનો નિર્ણય તેટલો જ રહ્યો જેટલા વોટ રઘુનાથ ઝાને મળ્યા હતા.
ભવ્ય શપથ ગ્રહણમાં પણ હતુ યોગદાન
ભલે વિધાયક દળની બેઠકમાં લાલુ પ્રસાદ યાદવને નેતા ચૂંટવામાં આવ્યા હોય પરંતુ તેમણે શપથ ગ્રહણનું આમંત્રણ તે સમયના રાજ્યપાલ મોહમ્મદ યૂનુસ સલીમ તરફથી મળતુ નહતુ અને માનવામાં આવતુ હતુ કે આવુ કેન્દ્રના ઇશારા પર થઇ રહ્યુ હતુ પરંતુ એક વખત ફરી શરદ યાદવે સુનિશ્ચિત કર્યુ કે લાલુ પ્રસાદ યાદવને માત્ર આમંત્રણ પણ મળ્યુ અને પટણાના ગાંધી મેદાન નજીક જેપીની પ્રતિમા પાસે તેમનું ભવ્ય શપથ ગ્રહણ સમારંભ પણ થયો હતો. આ સાચુ છે કે લાલુ પ્રસાદ યાદવ આ રાજકીય અહેસાન વર્ષો સુધી માનતા હતા અને શરદ સમર્થકોને પોતાના મંત્રી મંડળ અથવા લોકસભા કે રાજ્યસભામાં ટિકિટ આપતા પરહેજ કરતા નહતા.
2022માં પોતાની પાર્ટીનું RJDમાં વિલય કર્યુ
શરદ યાદવ 1989માં વી.પી.સિંહની સરકારમાં મંત્રી હતા, તેમણે 90ના દાયકાના અંતમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ ધરાવતી સરકારમાં પણ મંત્રી તરીકે કામ કર્યુ હતુ. 1990માં બિહારના મુખ્યમંત્રી બનેલા લાલુ પ્રસાદ યાદવને એક સમયે તેમનું સમર્થન પ્રાપ્ત હતુ. બિહારના મુખ્યમંત્રી અને JDU નેતા નીતિશ કુમાર દ્વારા 2013માં ભારતીય જનતા પાર્ટી સાથે સબંધ તોડવાનો નિર્ણય કર્યા પહેલા તે ભાજપના રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ના સંયોજક હતા. બાદમાં તેમણે પોતાની પાર્ટીની રચના કરી હતી પરંતુ સ્વાસ્થ્ય સારૂ ના રહેવાને કારણે તે રાજનીતિમાં એટલા સક્રિય નહતા. શરદ યાદવે 2022માં પોતાની પાર્ટીનો રાષ્ટ્રીય જનતા દળ (RJD)માં વિલય કરી લીધો હતો. અસ્વસ્થતાને કારણે શરદ યાદવ અંતિમ કેટલાક વર્ષોમાં રાજનીતિમાં પુરી રીતે સક્રિય નહતા.
Advertisement