પરિણીતા ફિલ્મથી ખ્યાતિ પ્રાપ્ત નિર્દેશક પ્રદીપ સરકારનું 67 વર્ષની વયે નિધન થયું છે. શરદ બાબુની નવલકથા પરિણિતા પરથી તેમણે ફિલ્મ બનાવી હતી. જેમાં વિદ્યા બાલન અને સૈફ અલી ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. બંગાળી ફિલ્મોમાં તેમનું આગવું સ્થાન હતું.
Advertisement
Advertisement
ફિલ્મ નિર્દેશકે સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટ્સ અનુસાર તેઓ ડાયાલિસિસ પર હતા અને તેમનું પોટેશિયમ લેવલ ઘટી ગયું હતું. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જો કે તે દરમિયાન ડિરેક્ટરનું મૃત્યુ થઈ ગયું હતું. ફિલ્મ નિર્માતાના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર છવાઈ ગઈ છે. આ દુઃખદ સમાચાર શેર કરતાં પ્રદીપના મિત્ર હંસલ મહેતાએ લખ્યું – પ્રદીપ સરકાર દાદા, RIP. આ સિવાય એક્ટર મનોજ બાજપેયીએ પ્રદીપ સરકારનો ફોટો શેર કરીને શોક વ્યક્ત કર્યો હતો.
Advertisement