જમ્મુ-કાશ્મીરના પ્રવાસમાં ઝેડ કેટેગરીની સુરક્ષા લેવામાં ઝડપાઈ જનારા મહાઠગ કિરણ પટેલ પર પાંચ કેસો થયા છે. દિલ્હીથી અમદાવાદ લાવ્યા પછી કિરણ પટેલના કોની કોની સાથે કનેક્શન છે તે વાત વિશેષ અગત્યની છે એવું રાજકીય વર્તુળો, સનદી અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ માને છે.
Advertisement
Advertisement
કિરણે પોતે ઠગાઈ કરી છે જે વાત ધીમે ધીમે બહાર આવી જ રહી છે પરંતુ તેની સાથે જોડાયેલા કેટલાંક આઈ.એ.એસ અધિકારીઓ, મંત્રીઓ અને સચિવાલયમાં આંટા મારતા વહીવટદારોમાં થી કોના નામ ખુલશે તે વાત મુખ્ય ચર્ચાનો વિષય છે.
માત્ર આટલું જ નહીં પરંતુ જે વ્યક્તિ નેશનલ કક્ષાની સિક્યૂરિટી એજન્સીને ભરમાવી શક્તો હોય તેણે સ્થાનિક કક્ષાએ કેટલાંને ભરમાવ્યા હશે તેનો તાગ હવે અમદાવાદ ક્રાઈમબ્રાંચ મેળવશે.
હાલમાં તો સુરક્ષામાં ક્યાં ક્યાં ચૂક થઈ તે અંગે ક્રાઈમબ્રાંચ તપાસ કરી રહી છે પરંતુ કિરણના છેડા ક્યાં સુધી અડેલા છે તે વિષય પર અધિકારી અને મંત્રી વર્ગ ટાંપીને બેઠો છે.
જો નિષ્પક્ષ તપાસ થશે તો કિરણ પટેલની જોડે જોડાયેલા કે સંકળાયેલા નાના મોટા અનેક નામો બહાર આવશે અને તેની સાથે વિવિધ સ્તરે થયેલી ગેરરીતીઓ પણ બહાર આવી શકે છે.
કિરણ પટેલે આવી જ રીતે ગુજરાતની બેન્કોમાં પણ સારા સંબંધો વિકસાવ્યા હતા. જે થકી એવું અનુમાન પણ છે કે જો બેન્કોમાં તપાસ કરવામાં આવે તો ત્યાઁથી પણ કેટલાંક ફ્રોડ બહાર આવશે. કિરણની પત્ની માલિની પટેલને પણ પોલીસે અટકાયતમાં લીધી છે. આમ બોલવામાં સ્માર્ટ અને કૌભાંડકારી માનસ ધરાવતા કિરણના સંબંધો ક્યાં સુધી વિસ્તરીને કેટલાં ડેમેજ બહાર લાવે છે તે જોવાનું રહ્યું.
Advertisement