ગુજરાત એક્સક્લૂઝિવ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની રાજકીય યાત્રા માટે મહત્વપૂર્ણ પડાવ સાબિત થવા જઇ રહી છે. અન્ના આંદોલનમાંથી નિકળેલી આ પાર્ટી 10 વર્ષની અંદર જ દિલ્હીમાં ત્રણ વખત સરકાર બનાવી ચૂકી છે.
Advertisement
Advertisement
આપે પંજાબમાં કોંગ્રેસ-અકાલીદળ જેવા મોટા પક્ષોને માત આપીને ત્યાં સત્તા મેળવી લીધી છે. તે ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ યોગી આદિત્યનાથની પણ મુશ્કેલીઓ વધારી દીધી છે. તો ઉત્તરાખંડમાં પણ બીજેપીને ચૂંટણી પ્રચારમાં ટક્કર આપી રહી છે.
આ રાજ્યોમાં આમ આદમી પાર્ટીને ગુમાવવા જેવું કંઇ છે નહીં. તેથી ત્યાં ચિંતા વગર પોતાની બધી જ શક્તિથી પ્રચાર પ્રસાર કરી રહી છે. તેવી જ રીતે આમ આદમી પાર્ટીની નજર ભાજપનું ગઢ ગણાતું ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ પર છે. આ ચૂંટણીઓ થકી તે પોતાના મૂળીયા મજબૂત કરવાની સાથે-સાથે પોતાને એક રાષ્ટ્રીય પાર્ટી બનાવવાની ભરપૂર કોશિશ કરશે. કોઈપણ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે ત્રણ માપદંડો પર ખરૂ ઉતરવું પડે છે.
પાર્ટીને ચાર રાજ્યોમાં પ્રાદેશિક પાર્ટીની માન્યતા મળી
પાર્ટીને ત્રણ રાજ્યોમાં લોકસભાની 2 ટકા સીટ જીતવી આવશ્યક છે. એટલે ઓછામાં ઓછી 11 લોકસભા સીટ હોય પરંતુ તે એક રાજ્યની ના હોવી જોઇએ તે કોઈપણ ત્રણ રાજ્યોની હોવી જોઈએ.
કોઈ પાર્ટી ચાર લોકસભા સીટો ઉપરાંત વિધાનસભા ચૂંટણીમાં ચાર અલગ-અલગ રાજ્યોમાં 6 ટકા વોટ મેળવે.
હવે તે પ્રશ્ન તે છે કે રાજ્યોમાં પ્રાદેશિક પાર્ટીની માન્યતા મેળવવા માટે કોઈપણ પાર્ટી પાસે શું યોગ્યતા હોવી જોઈએ. તે માટે ત્રણ નિયમ બનાવવામાં આવ્યા છે.
રાજ્યમાં લોકસભા અથવા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને 8 ટકા વોટ મળ્યા હો.
વિધાનસભા ચૂંટણીમાં 6 ટકા વોટ અને બે સીટો મળે છે તો તેને પણ રાજ્ય ચૂંટણી પંચ માન્યતા આપે છે.
કોઈપણ રાજ્યમાં પાર્ટીને વિધાનસભાની ત્રણ સીટો મળી જાય.
ચૂંટણી આયોગે અત્યાર સુધી બીજેપી, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, ભારતીય કોમ્પ્યુનિસ્ટ પાર્ટી, માર્ક્સવાદી કોમ્પ્યુનિસ્ટ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને નેશનલ પીપલ્સ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીની માન્યતા આપી છે.
આમાંથી કોઈપણ પાર્ટીની માન્યતા જો રાષ્ટ્રીય પાર્ટીના રૂપમાં ખત્મ કરી દેવામાં આવે તો તે આખા દેશમાં એક જ સિમ્બોલ પર ચૂંટણી લડી શકે નહીં. રાજ્યો માટે તેને અલગ-અલગ સિમ્બોલ આપવામાં આવશે.
આમ આદમી પાર્ટી પાસે તક
આમ આદમી પાર્ટીને ત્રણ રાજ્યોમાં પ્રાદેશિક પાર્ટીની માન્યતા આપવામાં આવી ચૂકી છે. જો ચોથા રાજ્યમાં તેને માન્યતા મળતા જ તેને રાષ્ટ્રીય પાર્ટી જાહેર કરી દેવામાં આવશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાંથી કોઈપણ એક રાજ્યમાં જો પાર્ટી 6 ટકા વોટ અથવા 2 સીટ જીતે છે તો તેને રાષ્ટ્રીય પાર્ટીની માન્યતા મળી જશે.
આમ આદમી પાર્ટીના દવા અનુસાર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની હવા ચાલી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ સીએમ ચહેરાની પસંદગી કરવાની જવાબદારી પણ ગુજરાતની જનતાને આપી હતી. તે અંતર્ગત દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે જનતાએ પસંદ કરેલા ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરાની ઇશુદાન ગઢવીના રૂપમાં જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે કે, તેઓ ગુજરાતમાં સરકાર બનાવવા જઇ રહી છે. કેમ કે ગુજરાતના લોકો પરિવર્તન ઇચ્છી રહ્યાં છે. ગુજરાતમાં મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરતી વખતે પણ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઇ રહી હોવાનો દાવો કર્યો હતો. તે દરમિયાન પણ તેમને કહ્યું કે ગુજરાતની જનતા પરિવર્તન ઇચ્છી રહી છે.
ગુજરાતમાં ચૂંટણી કાર્યક્રમ
ગુજરાતની 182 વિધાનસભા સીટો પર 2 તબક્કામાં ચૂંટણી થશે, પહેલા તબક્કાની વોટિંગ 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. આ ચૂંટણીના પરિણામ માટે 8 તારીખે મતગણતરી કરવામાં આવશે.
હિમાચલ પ્રદેશમાં ચૂંટણી કાર્યક્રમ
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે. 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે. ચૂંટણી માટે અધિસૂચના 17 ઓક્ટોબરે જારી થઈ ગઈ છે. ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ 25 ઓક્ટોબર હતી, જ્યારે 29 ઓક્ટોબર સુધી નામ પરત લઇ શકાશે.
Advertisement