ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઊચક્યું છે. સૌથી મોટી મૂંઝવણ એ છે કે કોરોનાની સાથે સાથે વાઈરલના કેસીસ પણ વધી રહ્યા છે. બંને રોગોમાં લક્ષણો સરખા હોવાથી મોટા ભાગના દર્દીઓમાં અને ડોક્ટરોમાં નિદાનની મૂંઝવણ રહે છે. છતાં પણ અમદાવાદમાં એક્ટિવ 1000 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં આજના દિવસે કુલ 301 નવા કેસ ઉમેરાયા છે.
Advertisement
Advertisement
મહત્ત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં વેન્ટિલેટર પર 8 દર્દીઓ છે. જો કે ડોક્ટરોના મતે સતર્ક રહેવાની જરૂર છે પરંતુ ગભરાવવાની જરૂર નથી. સરકાર દ્વારા તમામ હૉસ્પિટલમાં જરૂરી વ્યવસ્થા કરવાના સૂચનો આપી દેવામાં આવ્યા છે.
છેલ્લે ઓમિક્રોન વેરિયન્ટથી મોટા પાયે ઇન્ફેક્શન થયા હતા. કોરોનાના સતત બદલાતા વેરિયન્ટ અને તેની તીવ્રતાના ફેરફારના કારણે સતર્કતા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝરનો ઉપયોગ એક માત્ર રામબાણ ઈલાજ છે.
બાળકોમાં કોરોનાની વિશેષ અસરો જોવા મળતાં તે માટે વધુ પ્રિવેન્શન લેવાની જરૂર દેખાય છે. તમામ હોસ્પિટલોમાં ઑક્સિજનથી લઈને કોરોના વિભાગની જરૂરી વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે.
Advertisement