નવી દિલ્હી: 26 નવેમ્બર, બંધારણ દિવસ છે, જેને આખા દેશમાં મનાવવામાં આવી રહ્યો છે. આપણા ભારતીય બંધારણને અપનાવવાની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે દેશમાં બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. વર્ષ 1949માં સંવિધાન સભા દ્વારા ભારતીય બંધારણને 26 નવેમ્બરે જ અપનાવવામાં આવ્યુ હતુ. જોકે, તેને 26 જાન્યુઆરી 1950થી દેશમાં લાગુ કરવામાં આવ્યુ હતુ. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા 19 નવેમ્બર 2015ની જાહેરાત કરી હતી કે 26 નવેમ્બરે દર વર્ષે બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવશે. તે બાદથી દર વર્ષે બંધારણ દિવસને આ દિવસે મનાવવામાં આવે છે.
Advertisement
Advertisement
Constitution Day 2022: 395 કલમ ધરાવતા ભારતીય બંધારણમાં હવે છે 470 કલમ
ભારતીય બંધારણને બનાવવામાં સંવિધાન સભાને 167 દિવસ લાગ્યા હતા જેની માટે 11 સત્ર આયોજિત કરવામાં આવ્યા હતા. પોતાના મૂળ રૂપમાં ભારતીય બંધારણમાં 395 કલમ, 22 ખંડ અને 8 અનુસૂચિ છે. આપણા બંધારણમાં કુલ 1,45,000 શબ્દ છે, જે આખા વિશ્વમાં સૌથી લાંબુ અપનાવવામાં આવેલુ બંધારણ છે. જોકે, આ સમયે આપણા બંધારણમાં 470 કલમ, 25 ખંડ અને 12 અનૂસુચિ સાથે 5 પરિશિષ્ટ પણ છે.
બંધારણ દિવસે કોઇ રજા નથી
જોકે, બંધારણ દિવસ કોઇ રજાનો દિવસ નથી પણ આ પ્રસંગે વિવિધ સરકારી વિભાગ, સંગઠન અને શિક્ષણ સંસ્થાઓમાં તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સ્કૂલ અને કોલેજની વાત કરવામાં આવે તો બંધારણ દિવસના પ્રસંગે વિવિધ ભાષણ, સંવાદ, વાદ-વિવાદ સ્પર્ધા, ક્વિજનું આયોજન કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ આપણા બંધારણ પ્રત્યે જાગૃતિ અને સમજને ભાર મળે.
ભારતનું બંધારણ અપનાવવાને કારણે આપણે દેશમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ મનાવવામાં આવે છે. ભારતની બંધારણ સભાએ 26 નવેમ્બર 1949માં ભારતના બંધારણને અપનાવ્યુ હતુ, જે 26 જાન્યુઆરી 1950માં લાગુ થયુ હતુ.
નાગરિકો વચ્ચે બંધારણના મૂલ્યને ભાર આપવા માટે દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસના રૂપમાં મનાવવાના ભારત સરકારના નિર્ણયને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે 19 નવેમ્બર 2015માં અધિસૂચિત કર્યુ હતુ.
Advertisement