વિધાનસભા બેઠકક્રમાંક 151 ધરાવતો ભરુચ જિલ્લાનો વાગરા મતવિસ્તાર જનરલ કેટેગરીમાં આવે છે. ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં સ્થાન પામતાં ભરૂચનો આ મતવિસ્તાર પણ મુસ્લિમ બહુમતિ ધરાવે છે. બે સદી પહેલાં વાગરાના નર્મદા તરફના વિસ્તારોમાં રાજપીપળાના ગોહિલવંશી રાજવીઓને મોટી જમીન ભેટ તરીકે મળી હતી. એ જમીનની જાળવણી, ખેતી વગેરે માટે તેમણે અહીં ક્ષત્રિયોને વસાવ્યા હોવાથી અહીં આસપાસ કોઈ ક્ષત્રિય રજવાડું ન હોવા છતાં ક્ષત્રિયોની વસ્તી નોંધપાત્ર છે. વાગરા ગામ અને તાલુકો નાના અને વિકાસથી થોડાં દૂર રહી ગયા હોવાની છાપ ઉપસે છે. આ બેઠક અંતર્ગત વાગરા ઉપરાંત ભરુચ તાલુકાના 38 ગામો સાથે કુલ 2,17,862 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
વાગરા વિસ્તાર અને વસ્તીની દૃષ્ટિએ નાની બેઠક છે, પરંતુ અહીંનું કાસ્ટ ફેક્ટર તેમજ રાજકીય મિજાજ વિશિષ્ટ છે. મોટાભાગે કોંગ્રેસનો ગઢ રહેલી આ બેઠક પર છેલ્લાં કેટલાંક સમયથી ભાજપે ખાસ્સો એવો પ્રભાવ વધારી દીધો છે. હજુ એક દાયકા પહેલાં અહીં ભાજપ માટે પગ મૂકવાની ય જગ્યા ન હતી. પરંતુ હવે વિવિધ રાજકીય પરિબળોને કારણે ભાજપે પગદંડો જમાવી દીધો છે. અલબત્ત, સ્થાનિક વિકાસની દૃષ્ટિએ અહીં અનેક શક્યતાઓ છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | ઈકબાલ પટેલ | ભાજપ | 26,439 |
2002 | રશીદાબેન પટેલ | ભાજપ | 1,183 |
2007 | ઈકબાલ પટેલ | ભાજપ | 4,330 |
2012 | અરૂણસિંહ રણા | ભાજપ | 14,318 |
2017 | અરૂણસિંહ રણા | ભાજપ | 2,628 |
કાસ્ટ ફેબ્રિક
ભરુચ જિલ્લાની માફક વાગરા તાલુકો પણ મુસ્લિમ વસ્તીનું પ્રભુત્વ ધરાવે છે. 35,000 મુસ્લિમો, 23,000 આદિવાસી અને 18-20,000 ક્ષત્રિયો અહીં ગેમ ચેન્જર મનાય છે. આ ઉપરાંત કોળી, માછી, ભીલની સંખ્યા પણ નોંધપાત્ર છે. મુસ્લિમ પ્રભુત્વ હોવાથી આ બેઠક પર મુસ્લિમ અગ્રણીઓ જીતતા રહ્યા છે. પરંતુ હરિસિંહ મહિડા જેવા મોટા ગજાના નેતાના કારણે ક્ષત્રિય નેતૃત્વને પણ અહીં પૂરતી તકો મળતી રહી છે.
આ પણ વાંચો: # બેઠકપુરાણ આંકલાવઃ કોંગ્રેસના અમિત સામે જ્યાં ભાજપના અમિત પણ ટૂંકા પડે છે
સમસ્યાઓઃ
ઉચ્ચ શિક્ષણ માટે સરકારી કોલેજ અને રોજગારી માટે સ્થાનિક સ્તરે મધ્યમ કે લઘુ ઉદ્યોગોની આવશ્યકતા હજુ પૂરી થઈ નથી. જીઆઈડીસી ફેઝની માંગણી પણ હજુ પૂરી થઈ નથી. ખેતી સિવાય સ્થાનિક રોજગારીની તકો બહુ જૂજ હોવાથી ભરૂચ પર આધાર રાખવો પડે છે. દરિયાની અસરને લીધે જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે. પરંતુ જમીન સુધારણા અંગેના કે દરિયાને આગળ વધતો રોકવાના પ્રયાસો નહિવત્ત છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ સંખેડાઃ આંખોને ઠારતાં રંગોના શહેરમાં કમનસીબે કશું રંગીન નથી
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
બે ટર્મથી ભાજપના ઉમેદવાર તરીકે જીતતા અરુણસિંહ રણા આ વિસ્તારમાં દબંગ છબી ધરાવે છે. મુસ્લિમ વિ. અન્ય તમામ સમુદાય એવું ચિત્ર ઉપસાવવામાં તેમની હથોટી હોવાથી તેઓ જીત શક્ય બનાવી શકે છે. જોકે ગત ચૂંટણીમાં તેમણે કઈ રીતે ચૂંટણી જીતી તેનો વાણીવિલાસ કર્યો હતો અને એ વીડિયો વાઈરલ થતાં અરુણસિંહ ઉપરાંત ભાજપની હાલત પણ કફોડી બની હતી. આ વખતે અરૂણસિંહને રિપિટ ન કરાય એવી શક્યતા જણાય છે. તેમનાં સ્થાને મારુતિસિંહ અટોદરિયા સહિતના નેતાઓ દાવેદાર મનાય છે. વાગરા તાલુકા પંચાયતમાં ભાજપનું વર્ચસ્વ છે એ બાબત પણ ભાજપના ઉમેદવાર માટે સહાયક બની શકે તેમ છે.
હરીફ કોણ છે?
ઈકબાલ પટેલ આ વિસ્તારના દિગ્ગજ નેતા મનાય છે. કોંગ્રેસના સમર્પિત નેતા તરીકે મુસ્લિમ સમુદાય ઉપરાંત અન્ય સમાજમાં પણ તેમની સારી એવી પહોંચ છે. બે વખત તેઓ પોતે અને એક વખત તેમનાં પરિવારજન આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. જોકે આ વખતે ઈકબાલ પટેલ પરિવાર ઉપરાંત યાકુબ ગુરજી અને મહંમદ પટેલ પણ મુખ્ય દાવેદાર મનાય છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ વલસાડઃ અહીં જીતે એ પક્ષ ગુજરાત જીતે એ કિંવદંતી સાચી કે ખોટી પડવાનો અવસર
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટી સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા સ્થાનિક સ્તરે સારો એવો પ્રભાવ ધરાવતા મનહર પરમાર નગરપાલિકાની ચૂંટણીમાં મોટું નામ ગણાય. તેઓ આમઆદમી પાર્ટીના ઉમેદવાર બને તેવી શક્યતા છે. જોકે તેઓ ભાજપને વધુ નુકસાન કરે તેવી શક્યતા સ્થાનિક સ્તરે વ્યક્ત થઈ રહી છે.
Advertisement