ભારતીય નૌસેનાની પ્રથમ બેચ 2585 અગ્નિવીરો સાથે પાસ આઉટ પરેડ દ્વારા દેશની સેવામાં જોડાઈ છે ત્યારે નવાઈની વાત એ છે કે આ બેચમાં 273 મહિલા અગ્નિવીરો પણ સામેલ છે.
Advertisement
Advertisement
મંગળવારના રોજ આઈએનએસ ચિલ્કા ખાતે નેવીના 2585 અગ્નિવીરો તેમની ટ્રેનિંગ પૂરી કરીને નેવીની પ્રણાલી પ્રમાણે પાસિંગ આઉટ પરેટ (POP)માં ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સૌએ પોતપોતાની જવાબદારી સંભાળી હતી. પાસિંગ આઉટ પરેડમાં 16 અઠવાડિયાની સખત તાલીમ બાદ આ યુવાઓ દેશ માટે તમામ પ્રકારના પડકારને ઝીલવા સક્ષમ બન્યા હતા.
આ પ્રસંગે નેવીના ચીફ એડમિરલ હરિકુમારે જણાવ્યું હતું કે આજે એક ઐતિહાસિક દિવસ છે કે આજની બેચમાં મહિલા નેવલ સેલર્સ પણ દેશની સેવા માટે જોડાઈ રહ્યા છે. સમગ્ર વિશ્વને ભારતીય મહિલાઓની સાચી તાકાત બતાવવાનો આ દિવસ છે. આપણી મહિલા સેલર્સ આઈએનએસ ચિલ્કા દ્વારા દેશ સેવા માટે નિમિત્ત બની છે. આ મહિલાઓ સમગ્ર દેશ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.
એડમિરલ હરિકુમારે તમામ તાલીમાર્થીઓને તેમની સ્કીલને વધુને વધુ તીક્ષ્ણ અને વિક્સાવવા માટેના સૂચનો પણ કર્યા હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નેવીની મૂળમાં દેશ માટેની ફરજ, સન્માન અને બહાદૂરી છે.
આ ઐતિહાસિક બેચ એટલા માટે છે કારણ કે અગ્નિવીરોની પ્રથમ બેચ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14મી જૂન, 2022ના રોજ અગ્નિપથ સ્કીમ અંતર્ગત દેશના વિવિધ રાજ્યોમાંથી મેરિટના આધારે અગ્નિવીરની ભરતી કરવાનું આહ્વાન કર્યું હતું. જે અંતર્ગત આજે સૌપ્રથમવાર 273 મહિલા અગ્નિવીરોની બેચ ભારતીય નૌસેનામાં દેશની સેવા માટે જોડાઈ છે.
Advertisement