મીઠું પકવતાં અગરિયા પરિવારોની યાતનાઓ આપણે સૌ જાણીએ જ છીએ. કાળી ગરમીમાં પણ આ પરિવારો સતત શ્રમ કરીને દેશ માટે મીઠું પકવે છે. ગુજરાત સરકારે અગરિયા પરિવારોને ધ્યાનમાં લઈને 94.12 કરોડની સોલર પમ્પની સહાયતા જાહેર કરી છે.
Advertisement
Advertisement
ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, સોલર પમ્પ સહાયતા યોજના દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના 3915 અગરિયા પરિવારોને 94.12 કરડો રુપિયાની સહાયતા વિતરણ કરાઈ છે. ગુજરાત વિધાનસભામાં સોલર પમ્પ સહાયતા યોજનાના સવાલ પર ઉદ્યોગ રાજ્યમંત્રીએ જવાબ આપ્યો હતો. અને જણાવ્યું હતું કે, સોલર પમ્પ સહાયતા યોજના વર્ષ 2017માં અમલમાં મૂકાઈ હતી. આ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં 5496 આવેદન મળ્યા હતા, જેમાં 3915 પરિવારોને 94.12 કરોડ રુપિયાની સહાયતા વિતરિત કરાઈ હતી.
બાકીના 1329 આવેદનો પર કાર્યવાહી કરાઈ રહી છે. આ અંતર્ગત બજેટમાં 11 કરોડ રુપિયાનું પ્રાવધાન કરાયું છે.
Advertisement