આજે વિશ્વ રંગભૂમિ દિવસ. ગુજરાતને નાટકોની ફળદ્રુપ ધરતી કહેવામાં આવે છે. એક તરફ ઉત્તર ગુજરાતમાંથી જન્મેલી ભવાઈ કળા અને તેમાંથી વિક્સિત ગુજરાતી રંગભૂમિ આજે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ગુજરાતી નાટકના તખ્તા પરના અદાકારોના નામ લખવા જઈએ તો પાનાના પાના ભરાય. છતાં આજના હયાત કલાકારોથી વાત શરુ કરીએ તો સરિતા જોશીથી લઈને પ્રતિક ગાંધી સુધી ગુજરાતી નાટક સતત ઉન્નત થતું ગયું છે.
Advertisement
Advertisement
જૂની રંગભૂમિના નાટકોનો સિતારો હતો. ઝટ ઝાઓ ચંદન હાર લાવો…ફિલમ્ મારે જોવી છે…જેવા ગીતોથી રંગભૂમિ પ્રગટતી હતી. તો વળી અમૃત કેશવ નાયકના નાટકો ગુજરાતથી લઈને મુંબઈ સુધી અને ત્યાંથી છેક કલકત્તા સુધી જાણીતા હતા. આઝમગઢની નાટ્ય મલ્લિકા ગૌહારજાન પણ અમૃત કેશવ નાયક પર ફીદા હતી. ગુજરાતી નાટકોમાં શેક્સપિરિયન સ્પર્શ આપનારા અમૃત કેશવ નાયકે ગુજરાતી નાટકોને એક નવી ઊંચાઈ આપી હતી.
સાંભરે રે…બાળપણના સંભારણાં….જેવા ગીતોથી ડોલતો રંગમંચ ધીમે ધીમે ગુજરાતી ફિલ્મો સુધી ઊન્નત થતો ગયો. સરિતા જોશીનું ‘સંતુ રંગીલી’ કે પછી જૂની રંગભૂમિનું ‘પૈસો બોલે છે’ સામાજિક ચેતના જગાડતા. સરીતાબેનની પ્રવિણ જોશીને સ્પર્શતી એ જૂના નાટકની યાદો આજે પણ યુ-ટ્યૂબ વીડિયોમાં ધૂમ મચાવે છે.
આજે સિરિયલોમાં ચાલતાં સાસુ-વહુના નાટકો પ્રેક્ષકોના માનસ પર આજે પણ છવાયેલી છે અને એટલે જ ટી.વી.ના તખ્તા પર એ જ થીમથી ગુજરાતી નાટકો ચાલ્યા આવે છે.
સૌરાષ્ટ્રમાં પણ લોકકથા આધારિત થતાં નાટકોએ આજે પણ ગુજરાતી તખ્તાની એક છાંટ મૂકી છે. એક સમય એવો હતો જ્યારે મહિલાઓને નાટકમાં સ્થાન નોતુ મળતું. ત્યારે જયશંકર સુંદરી જેવા અદાકારોએ આબેહૂબ મહિલા પાત્રોના અભિનય કર્યા.
અગિયાર હજારથી વધુ શૉ કરનારું સ્વ.વિનોદ જાનીનું ‘પ્રિત પિયુને પાનેતર’ નાટકે લોકોમાં જબદદસ્ત પ્રતિસાદોનું વ્હાલ વરસાવ્યું હતું. એ બાવીસ વર્ષનો બાબાની ત્રણ ત્રણ પેઢીઓના અદાકારો જોઈ શકાય. પ્રિત પિયુ ને પાનેતરને ગુજરાતનું ‘માઉસ ટ્રેપ’ કહેવામાં આવે છે.
નિમેશ દેસાઈને કેવી રીતે ભૂલાય ? જેમણે જૂની રંગભૂમિના ગીતોને ફરી રિવાઈવ કર્યા. આકંઠ સાબરમતી દ્વારા સ્વ.લાભશંકર ઠાકર, ચીનુ મોદી અને સુભાષ શાહની ત્રિપુટીએ એક અનોખી ક્રાંતિની શરુઆત કરી.
નાટક પહેલા ભજવાય અને સ્ક્રિપ્ટ પછી લખાય. આ રીતને કહેવાય છે…ઈમ્પ્રોવાઈઝેશન. નાટ્ય ક્ષેત્રના પી.એસ.ચારી, પદ્મા રાણી, દિપક ઘીવાલા, રાગીણી, સુજાતા મહેતા, રસીક દવે, કેતકી દવે, મહેશ ચંપકલાલ, રાગી જાની, નિસર્ગ ત્રિવેદી, અર્ચન ત્રિવેદી, રમેશ પાંચોટીયા, સ્વ.દિલિપ ગઢવી, સ્વ.વિનોદ જાની, ઉર્મિલા ભટ્ટ, માર્કંડ ભટ્ટ, કિશન ત્રિવેદી, ઘનશ્યામ ગઢવી, જૈમિનિ ત્રિવેદી, સુભાષ બ્રહ્મભટ્ટ, દિપ્જી જોશી, સંદીપ પટેલ, આરતી પટેલ, ભરત દવે, કિશન ત્રિવેદી, જીતેન્દ્ર ઠક્કર, દિનકર ઉપાધ્યાય, ગુણવંત કાયસ્થ, મહેશ શાસ્ત્રી આ નામો માત્ર સ્મૃતિમાં આવી ગયા એટલે લખાય છે. બાકી લિસ્ટ ઘણું લાંબુ છે.
હસમુખ બારાડી, કૈલાસ પંડ્યા, દામિની મહેતા, સિતાંશુ યશશ્ચંદ્ર, પી.ખરસાણી જેવા મુરબ્બીઓના પડછાયા ગુજરાતી રંગભૂમિએ ઝિલ્યા છે.
નાટકોને બિરદાવવામાં પણ વિદ્યાનગરના ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ કપાસી જેવા આલા દરજ્જાના વિવેચકો મળ્યા.
આ ઉપરાંત આપણું અદિતીબેનનું અકૂપાર જેમાં દેવકી અને કલ્પનાએ પોતાના મનના રંગોથી પાત્રને જીવંત કર્યા છે. સૌમ્ય જોશી એટલે ગુજરાતના નાટકોનો એક અલાયદો ઓરડો. જેના સંવાદો સમાજીક ક્રાંતિ લાવી દે તેવા. અભિજાત જોશી એક બીજો અલાયદો ઓરડો જેના નાટકોમાંથી ફિલ્મોનું સર્જન થાય અને એ ફિલ્મ આખા દેશમાં ધૂમ મચાવે. ગુજરાતી નાટક એટલે આપણાં જેઠાભાઈ એવા દિલિપ જોશી અને દિશા વાકાણીના રુપમાં પ્રગટતી ગમ્મતી ગુર્જર નારી.
ગુજરાતી નાટક એટલે મુંબઈની ભૂમિને પોતીકી કરતો એક કલાપ્રમે. આજે પણ ક્રમશઃ ઉત્તરોત્તર ગુજરાતની રંગભૂમિ વિકસી રહી છે અને નવી પેઢી સતત નવા નવા વિષયો પર આગળ વધી રહી છે.
Advertisement