COP27 (Conference of the Parties) ઇજિપ્તમાં આયોજિત થવા જઇ રહ્યું છે. જ્યાં દુનિયાભરના નેતા જળવાયુ પરિવર્તન (Climate Change) અને તેમના સમાધાનના મુદ્દા પર ચર્ચા કરશે. 21મી સદીમાં ક્લાઇમેન્ટ ચેન્જ આખી દુનિયા માટે સૌથી મોટો પડકાર બનીને સામે આવ્યું છે. પાછલા કેટલાક વર્ષોમાં આપણે આના કેટલાક નકારાત્મક પ્રભાવ પણ જોવા મળ્યા છે. ક્યાંક જરૂરતથી વધારે વરસાદના કારણે પુર આવ્યો તો ક્યાંક તાપમાનના રેકોર્ડ તૂટી ગયો. અનેક દેશોને દૂકાળનો પણ સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ચાલો તમને જણાવીએ કે સંયુક્ત રાષ્ટ્ર ક્લાઇમેન્ટ ચેન્જ સંમેલન શું છે? COP27નો શું અર્થ છે? આ વર્ષે COP27માં કેટલા મુદ્દા પર ચર્ચા થશે? અને ભારતની શું માંગો રહેશે?
Advertisement
Advertisement
યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ શું છે?
COP27 વિશે વાત કરતા પહેલા ચાલો સમજીએ કે યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કન્વેન્શન શું છે. યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ દર વર્ષે યોજાય છે. આમાં, વિશ્વભરની સરકારો વૈશ્વિક સ્તરે જળવાયુ પરિવર્તનને રોકવા માટે લેવાતા પગલાઓની ચર્ચા કરે છે.
વર્ષ 1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પર્યાવરણ અને વિકાસના મુદ્દા પર પૃથ્વી સમિટ દરમિયાન ક્લાયમેટ ચેન્જ પર યુએન ફ્રેમવર્ક પસાર કરવામાં આવ્યું હતું, અને આ માટે સંકલન સંસ્થા- UNFCCCની સ્થાપના કરવામાં આવી હતી.
UNFCCC એક વૈશ્વિક કરાર છે, જેના પર અત્યાર સુધીમાં 197 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. તેનું સંપૂર્ણ સ્વરૂપ ‘યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ’ છે. તેનો હેતુ વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને નિયંત્રિત કરવાનો છે.
COP શું છે?
COP 27એ આબોહવા મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની 27મી વાર્ષિક બેઠક છે. કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝ માટે COP એ સંક્ષેપ રૂપ છે. તે યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક ઓન ક્લાઈમેટ ચેન્જ એટલે કે UNFCCCમાં સમાવિષ્ટ સભ્યોની પરિષદ છે. હાલમાં COPમાં 192 પક્ષો છે. COPની પ્રથમ પરિષદ માર્ચ 1995માં બર્લિનમાં યોજાઈ હતી.
આ સંમેલનોમાં દેશો દ્વારા મૂલ સંધિમાં વિસ્તાર માટે વાટોઘાટો આગળ વધાર્યો છે, જેથી ઉત્સર્જન પર કાયદેસર રીતે અન્ય કેટલાક નવી શરતો સ્થાપિત કરી શકાય.
આખી દુનિયાની નજર COP પર કેમ છે?
દુનિયા કેટલીક એવી વસ્તુઓ જોઈ રહી છે જે કલ્પના બહારની છે. 2022 માં ઇંગ્લેન્ડ અને સમગ્ર યુરોપમાં લોકો અથાગ ગરમીના કારણે પરેશાન છે. પાકિસ્તાનમાં અણધાર્યો વરસાદ. ભારતમાં પહેલા હીટવેવથી પાકને નુકસાન થયું, પછી વરસાદના અભાવે ડાંગરની વાવણી થઈ શકી નહીં અને છેલ્લે જ્યારે ચોમાસાની સિઝન પૂરી થઈ ત્યારે અણધાર્યો વરસાદ પડ્યો. આ બધા પાછળ ક્લાઈમેટ ચેન્જ હોવાનું માનવામાં આવે છે.
ઉનાળો: આફ્રિકાના સબ-સહારન પ્રદેશથી લઈને એન્ટાર્કટિકા સુધી વિશ્વભરમાં તાપમાનમાં વધારો થયો છે. ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન, પ્રદૂષણ, વનનાબૂદી સહિત આપણે જે ભયંકર કાર્યો કરી રહ્યા છીએ, તેણે પૃથ્વીનું તાપમાન વધાર્યું છે.
દુષ્કાળ: ડબ્લ્યુએચઓ અનુસાર, વિશ્વભરમાં અંદાજિત 55 મિલિયન લોકો દર વર્ષે દુષ્કાળથી પ્રભાવિત થાય છે. દુષ્કાળ એ વિશ્વના લગભગ દરેક ભાગમાં પશુધન અને પાક માટે સૌથી ગંભીર ખતરો છે. દુષ્કાળ લોકોની આજીવિકાને જોખમમાં મૂકે છે, રોગ અને મૃત્યુનું જોખમ વધારે છે અને સામૂહિક સ્થળાંતર તરફ દોરી જાય છે.
પાણીની અછત: છેલ્લા કેટલાક વર્ષોમાં જળવાયુ પરિવર્તનની સાથે વિશ્વના ઘણા ભાગોમાં પાણીની અછતની સમસ્યા પણ જોવા મળી રહી છે. કેપ ટાઉનને 2017 અને 2018માં પાણીની ગંભીર કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈના લોકોને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. 2015માં આવેલા પૂર પછી 2019માં ચેન્નાઈમાં દુષ્કાળને કારણે પાણીની કટોકટી વધુ ઘેરી બની હતી.
પૂર: 2022માં પૂરે વિશ્વના ઘણા દેશોમાં વિનાશ વેર્યો હતો. અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં પૂરના કારણે 1000 થી વધુ લોકોના મોત થયા છે. તો બીજી તરફ નાઇજીરીયાના 18 રાજ્યો ગંભીર પૂરથી પ્રભાવિત થયા હતા, જેમાં 600થી વધુ લોકો માર્યા ગયા હતા અને 10 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં પૂરની એવી માર પડી કે રહી છે કે લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. હજારો લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા.
ખાદ્ય કટોકટી: આબોહવા પરિવર્તન, અતિશય ચરાઈ, વનનાબૂદી અને શહેરીકરણને કારણે પૃથ્વીની 40 ટકા જમીન ખરાબ થઈ ગઈ છે. વિશ્વભરના તમામ ખંડો પર 20 થી 50 ટકા સિંચાઈ યોગ્ય જમીન એટલી ખારી થઈ ગઈ છે કે તે સંપૂર્ણ રીતે ફળદ્રુપ નથી, જે લગભગ 1.5 અબજ લોકો કે જેઓ તે જમીનોમાં પાક ઉગાડે છે તેમના માટે ગંભીર પડકારો ઉભા થઇ ગયા છે.
COP27 ક્યારે અને ક્યાં યોજાઇ રહ્યું છે?
ઈજીપ્તના શર્મ અલ-શેખમાં 6થી 18 નવેમ્બર દરમિયાન COP27નું આયોજન કરવામાં આવ્યું છે. ઇવેન્ટ માટે બે મુખ્ય સ્થળો છે: બ્લુ ઝોન અને ગ્રીન ઝોન. બ્લુ ઝોન – શહેરના કેન્દ્રની દક્ષિણે શર્મ અલ-શેખ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર છે, જ્યાં સત્તાવાર વાટાઘાટો યોજાશે. આ જગ્યાનું સંચાલન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવશે અને તે આંતરરાષ્ટ્રીય કાયદાને આધીન રહેશે.
શર્મ અલ-શેખ સ્થિત બોટનિકલ ગાર્ડનમાં ગ્રીન ઝોન બનાવવામાં આવ્યો છે. આ વિસ્તાર ઇજિપ્તની સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવશે અને તે લોકો માટે ખુલ્લો રહેશે.
યુએસ પ્રમુખ જો બાઇડેન અને 100થી વધુ રાજ્યોના વડાઓ સહિત 35,000 થી વધુ પ્રતિનિધિઓ COP27 માં હાજરી આપે તેવી અપેક્ષા છે. ભારતથી પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ જઈ રહ્યા છે.
શા માટે COP27 ફક્ત ઇજિપ્તમાં જ થઈ રહ્યું છે?
આબોહવા પરિવર્તન માટે આફ્રિકા વિશ્વના સૌથી સંવેદનશીલ પ્રદેશોમાંનો એક છે. અહેવાલો અનુસાર, હાલમાં પૂર્વ આફ્રિકામાં દુષ્કાળના કારણે 17 મિલિયન લોકો ખોરાકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આફ્રિકન દેશમાં આબોહવા પરિવર્તન પરિષદ યોજવાથી વૈશ્વિક સમુદાયનું ધ્યાન જળવાયુ પરિવર્તનની અસરો તરફ દોરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પાંચમી વખત છે જ્યારે આફ્રિકાના કોઈ દેશમાં ક્લાઈમેટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
બીબીસીના રિપોર્ટ અનુસાર ઈજિપ્તમાં કોન્ફરન્સની યજમાનીને લઈને પણ વિવાદ ઊભો થયો છે. કેટલાક માનવાધિકાર જૂથો અને પર્યાવરણીય કાર્યકર્તાઓનું કહેવું છે કે સરકારે તેમને કોન્ફરન્સમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તેઓ સરકારના રેકોર્ડ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
COP27નો એજન્ડા શું છે?
ચાલો હવે તમને જણાવીએ કે આ વર્ષે COP27ના એજન્ડામાં શું છે. કોન્ફરન્સમાં ત્રણ મુખ્ય એજન્ડા છે, જેની ચર્ચા કરવામાં આવશે.
- કાર્બન ઉત્સર્જન
- કસ્ટમાઇઝેશન
- ફ્લાઇમેન્ટ ફાઇનાન્સ
કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો: દેશો તેમના ઉત્સર્જનમાં કેવી રીતે ઘટાડો કરી રહ્યા છે?
આબોહવા પરિવર્તનનો સામનો કરવાનો મહત્વપૂર્ણ ઉપાયગ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડો કરવો અને તેની રોકથામ કરવાનો છે. આનો અર્થ છે નવી ટેકનોલોજી અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ, જૂના સાધનોની ઉર્જા કાર્યક્ષમતામાં સુધારો કરવો, વ્યવસ્થાપન પદ્ધતિઓ અને ઉપભોક્તા વર્તનમાં પરિવર્તન લાવવાનો છે.
અનુકૂલન: દેશો અનુકૂલનના પ્રયાસો કેવી રીતે કરશે અને અન્ય દેશોને કેવી રીતે મદદ કરશે?
વિશ્વભરમાં ક્લાઈમેટ ચેન્જે દસ્તક આપી છે. આવી સ્થિતિમાં અનુકૂલનની સાથે નિવારણના ઉપાયો પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. COP27 ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન અને ધીમી ગ્લોબલ વોર્મિંગને ઘટાડવાના પ્રયાસો ઉપરાંત જીવન બચાવવા માટે વધુ સારા સલામતી પગલાં અંગે ચર્ચા કરશે.
આ સાથે દેશો વચ્ચે નિવારક પગલાં અને ટેકનોલોજીના આદાનપ્રદાન પર પણ ચર્ચા થશે, જેથી વિશ્વને વધુ સારા ભવિષ્ય તરફ આગળ વધવામાં મદદ મળી શકે.
ક્લાઈમેટ ફાઇનાન્સ: આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે નાણાકીય સહાય કેવી રીતે પૂરી પાડવી?
COP27માં ક્લાઈમેટ ફાઇનાન્સ એક મોટો અને મહત્વનો મુદ્દો છે. કોન્ફરન્સમાં ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે આર્થિક મદદ અંગે પણ ચર્ચા થશે. વિકાસશીલ દેશોએ વિકસિત દેશોને પર્યાપ્ત અને યોગ્ય ભંડોળની ખાતરી કરવા વિનંતી કરી છે. કોન્ફરન્સમાં વિકસિત દેશો દ્વારા દર વર્ષે 100 બિલિયન ડૉલર આપવાનું વચન ચર્ચાના કેન્દ્રમાં રહેશે, જે હજુ સુધી પૂર્ણ થયું નથી.
COP27માં ભારત કયા મુદ્દા ઉઠાવશે?
COP27 પહેલા ભારતના કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે ભારત ક્લાયમેટ ફાઇનાન્સ, ટેક્નોલોજી ટ્રાન્સફર અને વિકાસશીલ દેશોને ક્લાયમેટ ચેન્જ સામે લડવામાં મદદ કરવા માટે વિકસિત દેશો પાસેથી ‘એક્શન’ માંગશે.
“અમે COP27માં ક્લાયમેટ ફાઇનાન્સ, ટેક્નોલોજી એક્સચેન્જ અને ક્ષમતા નિર્માણ પર પગલાંની અપેક્ષા રાખીએ છીએ. દેશો દ્વારા પૂરતા વચનો આપવામાં આવ્યા છે પરંતુ પૂરતી કાર્યવાહી નથી.”
યાદવે જણાવ્યું હતું કે COP27માં ભારતનો સર્વગ્રાહી અભિગમ મજબૂત, મહત્વાકાંક્ષી અને નિર્ણાયક આબોહવા ક્રિયાઓ પર ભાર મૂકશે, આબોહવા ન્યાય માટે હાકલ કરશે અને PM મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી LiFE આંદોલન દ્વારા સ્થાયી જીવનશૈલી પર ભાર આપશે.
COP27 કઈ રીતે અલગ હશે?
અગાઉના કેટલાક COP ની સરખામણીમાં COP27 ઘણી રીતે અલગ હોવાની અપેક્ષા છે. ગયા વર્ષે COP26 દરમિયાન ‘ગ્લાસગો ક્લાઇમેટ પેક્ટ’ પૂર્વ-ઔદ્યોગિક યુગની તુલનામાં વૈશ્વિક તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધીના વધારાને મર્યાદિત કરવા માટે સંમત થયા હતા.
પેરિસ કરારના વાસ્તવિક અમલીકરણ તરફ પ્રગતિ કરવામાં આવી હતી અને વ્યવહારિક પગલાં માટે પેરિસ રૂલ બુકને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ સાથે દેશોએ પણ આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે મજબૂત સંકલ્પને સુનિશ્ચિત કરવા સંમત થયા હતા, જે અંતર્ગત રાષ્ટ્રીય આબોહવા કાર્ય યોજનાઓને પણ વધુ મહત્વાકાંક્ષી બનાવવી જોઈએ. જો કે, અત્યાર સુધીમાં 193 દેશોમાંથી માત્ર 23 દેશોએ જ તેમની યોજનાઓ યુએન સમક્ષ રજૂ કરી છે.
COP27 કોન્ફરન્સ દરમિયાન આ તમામ વચનો અને ઠરાવોને અમલમાં મૂકવાના આયોજન પર હવે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પરિષદના યજમાન દેશ ઇજિપ્તે ગ્રાઉન્ડ લેવલે સંપૂર્ણ, સમયસર, સમાવિષ્ટ અને વ્યાપક પગલાં લેવાની હાકલ કરી હતી.
નિષ્ણાંતોનું માનવું છે કે પેરિસ રૂલ બુકના અમલીકરણ પર ચર્ચા ઉપરાંત કોન્ફરન્સ દરમિયાન તે મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે, જેના પર ગ્લાસગોમાં મંત્રણાના નિષ્કર્ષ પર પહોંચી શકાયું નહતું.
Advertisement